વધુ એક નેતાએ AAPને કર્યું ગુડ બાય, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-08-20 13:41:07

આમ આદમી પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, આપના ઉપપ્રમુખ વશરામ સાગઠિયા બાદ વધુ એક નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હવે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીનો પણ મોહભંગ થઈ ગયો છે. ભેમાભાઈ ચૌધરી તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી દીધું છે. ભેમાભાઈ આપમાંથી 2022માં દિયોદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. તેમણે પાર્ટી પ્રમુખ અને પાર્ટીના પ્રભારીને રાજીનામું મોકલી આપ્યું છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠા આપના કદાવર નેતા ભેમાભાઈના રાજીનામાંથી આપને રાજકીય દ્રષ્ટીએ મોટો મોટો ઝટકો લાગ્યો છે તેમ કહીં શકાય.

 

અવગણનાના કારણે રાજીનામું


જમાવટ સાથે વાત કરતા ભેમાભાઈએ આમ આદમી પાર્ટીએ તેમના રાજીનામાના કારણો આપતા કહ્યું કે પાર્ટીમાં તેમની સતત અવગણના થતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે શરૂ થયેલી પાર્ટી હવે મુદ્દાઓથી વિમુખ થતી જાય છે. ગુજરાતમાં 2012થી અત્યાર સુધી પાર્ટીનું ઉભી કરવામાં ભેમાભાઈનું મોટું યોગદાન રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા જ ભેમાભાઈના રાજીનામાંની સાથે હજું પણ વધુ નેતાઓ પાર્ટી છોડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.