AAPએ જાહેર કરી ઉમેદવારોની 14મી યાદી,177 ઉમેદવાર જાહેર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 14:42:58

વિધાનસભાની ચૂટણીને લઇને આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેને લઇને અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 177 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ 14મી યાદી બહાર પડી છે.જેમાં થરાદ વિરચંદભાઈ ચાવડા, જામનગર દક્ષિણ વિશાલ ત્યાગી, જામજોધપુર હેમંત ખાવા, તાલાલા દેવેન્દ્ર સોલંકી, ઉના સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલ ખુમાનસિંહ ગોહિલ, ખંભાત અરુણ ગોહિલ, કરજણ પરેશ પટેલ, જલાલપોર પ્રદીપકુમાર મિશ્રા અને ઉમરગામ અશોક પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા છે. 

AAPએ પોતાના ઉમેદવારોની કુલ 14 યાદી જાહેર કર્યા બાદ મોટા નેતાઓ કઇ જગ્યાએથી ચુંટણી લડશે તે અંગેનુ સસ્પેન્સ ખોલ્યુ છે.ગઈ કાલે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચુંટણી લડશે તેની જાહેરાત કરાઇ હતી.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેના સમીકરણ બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.  


ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા 

ગઈ કાલે દિલ્હી ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે કાંતિ અમૃતિયાને મોરબીથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે. રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરથી જીતુ વાઘાણીને ભાજપ દ્વારા ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.