AAP અને Congressના ધારાસભ્યો આપી રહ્યા છે રાજીનામું! ઋષિકેશ પટેલે રાજીનામાં અંગે આપી પ્રતિક્રિયા કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-12-19 13:36:02

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યોનું પક્ષ પલટો કરવાનું બજાર ફરી ગરમ થઈ ગયું છે. ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થતા જ હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે. ભાજપના ઋષિકેશ પટેલે કહ્યું કે અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે.


લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડશે ગાબડું!  

ફરીથી પક્ષપલટાની મોસમ શરૂ થઇ હોય તેવુ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા આયા રામ-ગયા રામનો સિલસિલો હવે ફરી શરૂ થશે. લોકસભામાં જીતની હેટ્રીક માટે ભાજપનું ઓપરેશન 'કમલ' ફરી કામે લાગી ગયું છે. ગાંધીનગરના સૂત્રો અનુસાર, ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસમાં ફરી ગાબડા પડી શકે છે. AAP અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. 


અમે કોઈને આમંત્રણ નથી આપતા - ઋશિકેશ પટેલ 

કોંગ્રેસ તૂટવા અંગે ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું રહ્યું નથી. કોંગ્રેસમાં રાજકારણ નહી રાજનીતિ ચાલે છે. આ તો ચાલતી પ્રોસેસ છે. બધા રાજ્યોમાંથી કોંગ્રેસે વિંટા વળ્યાં છે. ખરાબ નેતૃત્વના લીધે એવું થાય છે. અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે. આ બધા મોદી સાહેબને કોંગ્રેસના લોકો સમર્થન આપી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક ભાજપ જીતશે જ. કોંગ્રેસમાં નેતાઓ ગૂંગળાઈ રહ્યા છે. 


પાટણના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

AAP બાદ કોંગ્રેસના બે ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. તે ચર્ચાઓએ જોર પકડ્યું છે. આજે અથવા આવતી કાલે ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી શક્યતા છે. આ લિસ્ટમાં પહેલુ નામ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું સામે આવ્યું હતું તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું પણ નામ હાલ ચર્ચામાં છે


ઓપરેશન લોટસ કામે લાગ્યું!

લોકસભા ચૂંટણી પહેલા વધુ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસ અને આપના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સંભવિત 2 થી ત્રણ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ઓપરેશન લોટસ કામે લાગી ગયું છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!