રાજ્ય સરકારે 5 અને 10 રૂપિયા વીઘાના ભાવે ગૌચર જમીનો વેચી: AAP


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:17:36

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજયગુરૂએ ભાજપના ભ્ર્ષ્ટાચારને ખુલ્લો પાડતા આકરા પ્રહારો કર્યા હતા. રાજયગુરૂએ ગૌશાળાઓને આર્થિક સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો આ ઉપરાત તેમણે ભાજપ સરકાર પર ગૌચરો સસ્તામાં વેચી મારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય અંગે બજેટમાં જાહેરાત કરી પણ પૈસા મળ્યા નથી.અમુક ગૌશાળાના સંચાલકોને ચેક આપી ભાજપ સરકારે નાટક કર્યું છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીએ ગૌચરની જમીન મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં ઈન્દ્રનીલ રાજયગુરૂએ આ ઘટષ્ફોટ કર્યો હતો. 


સરકારે પ્રતિ વિઘો 5 અને 10 રૂપિયે ગૌચરની જમીન વેચી


ગૌચરની જમીન મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ગૌચરની જમીન સરકારે વેચાણ કરી દીધી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં સૌથી વધુ ગૌચરની જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતુ. પોરબંદરમાં રાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝાનો આશ્રમ પણ ગૌચરની જમીન પર બન્યું હોવાનો આરોપ કર્યો હતો. ગૌચરની જમીનો રૂપિયા 5 અને 10માં પ્રતિ વિઘો વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.


ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓનો કબજો

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર  પ્રહાર કરતા કહ્યું એ ભૂમાફિયાઓએ ગૌચરની જમીનોને કબજે કરી લીધી છે. ગૌચર પર નિર્ભર લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેઓ ગાયો સાથે ક્યાં જાય? તેઓને એવી જગ્યાએ જવાની ફરજ પાડવામાં આવે છે જ્યાં જવાનું કાયદેસર રીતે પ્રતિબંધિત છે. સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને ગૌચરની જમીન ખાલી કરાવી જોઈએ જેથી ગાય ત્યાં ચરવા અને ફરવા જઈ શકે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.