ઝરીવાલા ઘટના પછી AAP સતર્ક ,બીજા ફેઝના તમામ ઉમેદવારને સોમનાથમાં અજ્ઞાત સ્થળે શિફ્ટ કર્યા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 14:36:24

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને લઈને મોટો નિર્ણય કર્યો છે. તેમણે બીજા તબક્કાના તમામ ઉમેદવારોને અત્યારે સોમનાથ શિફ્ટ કરી દીધા છે.કંચન ઝરીવાલા ઘટનાક્રમને જોતા AAPએ આ નિર્ણય કર્યો છે. હજુ બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચાઈ શકે છે તેવામાં આમ આદમી પાર્ટી કોઈ જોખમ લેવા ન માગતી હોવાથી આ નિર્ણય કરાયો છે


AAP નો મોટો નિર્ણય !!

સુરતમાં કંચન ઝરીવાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ એના ઘટનાક્રમ પછી આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. તેમણે બીજા ફેઝના તમામ ઉમેદવારોને આજે અને કાલના દિવસ સુધી સોમનાથમાં એક અજ્ઞાત સ્થળે શિફ્ટ કરી દીધા છે. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ તમામને સુરક્ષિત રાખવા નિર્ણય લેવાયો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.