AAPનાં કાર્યકર્તાઓએ Bhupat Bhayaniને પકડીને સવાલ કર્યા તો.... સાંભળો શું આપ્યો જવાબ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-28 11:18:34

થોડા સમય પહેલા ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય પદ પરથી તેમજ આમ આદમી પાર્ટી સાથેનો નાતો તેમણે છોડી દીધો હતો.એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભૂપત ભાયાણીની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેમણે આમ આદમી પાર્ટી કેમ છોડી? સવાલો સાંભળીને તમને પણ થશે કે આ વ્યક્તિએ વાત તો સાચી કહી. 

આપના કાર્યકર્તાઓએ ઘેર્યા ભૂપત ભાયાણીને

આપણે જ્યારે મત આપીએ છીએ ત્યારે આપણે આપણા પ્રતિનિધિને જોઈને, પાર્ટીને જોઈને મત આપીએ છીએ. જેને ભાજપ ગમતી હશે તે તેના ઉમેદવારને મત આપશે, જો તેમને કોંગ્રેસ ગમતી હશે તો તે કોંગ્રેસને મત આપશે અને જો તેમને આમ આદમી પાર્ટી ગમતી હશે તો તે આપને વોટ આપશે. લોકો ઉમેદવાર અને પાર્ટીને જોઈને મત આપતા હોય છે. પરંતુ જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી કોઈ બીજી પાર્ટીમાં જતું રહે ત્યારે? એ ન માત્ર પાર્ટી સાથે વિશ્વાસઘાત થયો કહેવાય પરંતુ એ મતદારોનું પણ અપમાન છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.