દિલ્હીમાં યોજાઈ AAPની મહારેલી, કેજરીવાલે કહ્યું આજે એક સરમુખત્યારને સત્તા પરથી હટાવવા એકઠા થયા છીએ


  • Published By :
  • Published Date : 2023-06-11 14:36:13


દિલ્હી સરકારમાં અધિકારીઓની નિમણૂક અને બદલીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે રામલીલા મેદાનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દ્વારા AAP પોતાનું શક્તિ પ્રદર્શન રહી છે. દિલ્હીમાં 8 વર્ષથી સત્તારૂઢ AAPની આ પ્રથમ મહારેલી છે. તેને સફળ બનાવવા માટે પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રેલીમાં પહોંચ્યા છે.


વટહુકમને નિરસ્ત કરાવીને રહીશું: દિલ્હીના CM


દિલ્હીના સીએમએ કહ્યું કે બીજેપીના લોકો દરરોજ મારી સાથે દુર્વ્યવહાર કરે છે. હું દિલ્હીનું અપમાન સહન કરી શકતો નથી. દેશની તમામ જનતા દિલ્હીની સાથે છે.અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું. અમે વટહુકમનો અસ્વીકાર કરતા રહીશું. મને ખબર પડી છે કે મોદીજીનો આ પહેલો હુમલો છે. આવતીકાલે અન્ય રાજ્યો માટે પણ આ જ વટહુકમ લાવવામાં આવશે.


સરમુખત્યારશાહીને હટાવવા એકઠા થયા - કેજરીવાલ


આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આ ગરમીમાં દિલ્હીના દરેક ખૂણેથી આવેલા લોકોનો આભાર માનું છું, આ લોકો આ ગરમીમાં આવ્યા છે.તેમણે દાવો કર્યો કે અહીં એક લાખથી વધુ લોકો આવ્યા છે. દરેક વ્યક્તિ ફેસબુક પર લાઇવ કરે. અમે 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અહીં ભેગા થયા હતા, આજે અમે એક સરમુખત્યારશાહીને દૂર કરવા માટે ભેગા થયા છીએ. તે આંદોલન સફળ રહ્યું છે, આજથી શરૂ થયેલું આ આંદોલન પણ સફળ થશે.


નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનું પાલન કેમ નથી કરતાઃ કેજરીવાલ


અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં નિર્ણય આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેમ સ્વીકારતા નથી? ચૂંટાયેલી સરકારને કામ કરવાનો અધિકાર હોવો જોઈએ. આજે બંધારણ બચાવવાનું આંદોલન શરૂ થઈ રહ્યું છે.






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.