આમ આદમી પાર્ટીએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી! ચૂંટણીને લઈ ઈસુદાન ગઢવીએ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-27 11:42:17

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષે તૈયારીઓ આરંભી દીધી છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોને લઈ મીટિંગ કરી રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે મિટીંગ કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા, અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  

ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીએ યોજી જાહેરસભા 

આવનાર વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેડીયાપાડાના સર્કિટ હાઉસ ખાતે ઈસુદાન ગઢવીએ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તે ઉપરાંત જાહેરસભાને પણ સંબોધી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 


ભાજપ પર ઈસુદાન ગઢવીએ કર્યા પ્રહાર  

પોતાના સંબોધનમાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભરૂચમાં ભાજપના કોઈ સાંસદ હોય કે ધારાસભ્ય હોય એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની તાકાત નથી અને ભાજપમાં 156 અને બીજા ત્રણ ધારાસભ્યોને ભાજપ માત્ર  ચપરાસી તરીકે રાખે છે. જેમને વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી અને અમે લોકસભાની ચૂંટણીમાં 26 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા કરીશું. ઉપરાંત ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા સામે લડવાની તૈયારી બતાવી છે. જો પાર્ટી કહેશે તો ચૂંટણી લડશે તેવી વાત ચૈતર વસાવાએ કહી હતી.  





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.