ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી, ગુજરાતમાં સીટો મળતા કેજરીવાલે ખુશી વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 19:06:54

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે. ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 182 બેઠકમાંથી 5 બેઠકો મેળવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે આ વાતને એકદમ સકારાત્મ રીતે લીધી છે.

 

ભાજપનો મજબુત કિલ્લો ભેદી કાઢ્યો છે - કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો બનાવી ગુજરાતના આપના કાર્યકર્તાઓનો તેમજ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. પોતાના મેસેજમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી કાઢ્યો છે. અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. તેમણે કહ્યું કે તેમની પાર્ટીને 39 લાખથી વધુ મત મળ્યા છે. માત્ર 10 વર્ષના સમયમાં આમ આદમી પાર્ટી રાજકીય પાર્ટી તરીકે સંસ્થાપિત થઈ ગઈ છે. 


રાષ્ટ્રીય પાર્ટીમાં આપનો પણ સમાવેશ - કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશવાસીઓનો ખુબ-ખુબ આભાર. ગુજરાત વિધાનસભાની પરિણામ આવી ગયા છે અને ઘણી સીટો આવી છે. જેટલા મતો આપને ગુજરાતથી મળ્યા છે તે પ્રમાણે કાયદેસર રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે જેમાં હવે આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થશે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.