આમ આદમી પાર્ટીની ચાર ચોપડી પાસ રાજાની વાર્તા સામે ભાજપની નમકહરામની વાર્તા! વાર્તાનો સહારો લઈ કરાઈ રહ્યા છે પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-04-18 12:30:47

નાના હતા ત્યારે દાદીમાં આપણને વાર્તા કહેતા હતા. રાજા રાણીની વાર્તા હોય કે પરીઓની વાર્તા હોય. પરંતુ મોટા થયા ત્યારથી આ વાર્તાઓ આપણને ભૂલાઈ રહી છે. આજે વાર્તાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે રાજકારણમાં આજકાલ વાર્તાનો સહારો લઈ એક બીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા સંભળાવી હતી જેના જવાબમાં ભાજપે પણ એક વાર્તા લાવી દીધી હતી.

વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહી વાર્તા!

અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી ચર્ચામાં છે. સીબીઆઈ દ્વારા પૂછપરછની વાત હોય કે પછી વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈ કરવામાં આવેલી વાત હોય. આ બધા વચ્ચે ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં એક વાર્તા કહી હતી. વાર્તાનો ઉપયોગ કરી તેમણે આડકતરી રીતે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. વાર્તાનું શિર્ષક હતું ચોથી ફેલ રાજા. આ વાર્તામાં તેમણે નામ લીધા વગર વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. 


ભાજપ લઈને આવ્યું નમકહરામની વાર્તા!

આ વાર્તાના જવાબમાં ભાજપ પોતાની વાર્તા લઈને આવી. કપિલ મિશ્રાએ એક વાર્તા ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે 'કહાની એક નમકહરામની. જેણે પૈસા અને સત્તા માટે આંદોલનથી, પોતાના ગુરૂથી, પોતાના મિત્રોથી, જનતાથી અને પોતાના દેશથી નમકહરામી કરી. આજે આ નમકહરામ જેલમાં જવાથી ડરી રહ્યા છે. શું તમે જાણો છો નમકહરામનું નામ?'  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.