બીજા તબક્કાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-01 16:35:18

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાનું હતું. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો  માટે મતદાન યોજાયું હતું. ત્યારે બીજી સીટો માટેનું મતદાન થાય તે પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ હરભજન સિંહ જોડાયા હતા.

  

અરવિંદ કેજરીવાલ,ભગવંત માન, સાથે જોવા મળ્યા હરભજનસિંહ

સરસપુર ખાતેના રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ફી વીજળી બિલની વાત કરી હતી. ફ્રી વીજળીના મુદ્દા સહિત અનેક બીજા મુદ્દાઓને ઉઠાવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને સંબોધન કરતી વખતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. આ રોડ શો દરમિયાન પણ તેમણે ગુજરાતીમાં સંબોધન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલની સાથે રાઘવ ચઠ્ઠા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.

 

ભગવાને લોકો સક્ષમ વિકલ્પ મોક્લ્યો છે - કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. અત્યાર સુધી ગુજરાત પાસે કોઈ વિકલ્પ ન હતો પરંતુ આ વખતે ભગવાને સક્ષમ વિકલ્પ મોકલ્યો છે.  ઉપરવાળાએ પોતાનું ઝાડું ચલાવ્યું છે. ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જ્યા પણ જાય છે ત્યારે એક જ નારો સંભળાય છે કે કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે. 


દરેક પાર્ટી પ્રચાર કરવામાં વ્યસ્ત છે 

હરભજન સિંહે કહ્યું કે ગુજરાતને શું જોઈએ. પરિવર્તન. આમ આદમી પાર્ટી નિશુલ્ક વીજળી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપી જુઓ. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે ત્યારે ગુજરાતની જનતા કોને જીતાડે છે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .