હિમાચલ પ્રદેશમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્ર પર આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-08 14:11:15

ગુજરાતની રાજનીતિમાં જ્યારથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે ત્યારથી અનેક સુવિધાઓ ફ્રીમાં આપવાની વાત કરી છે. ફી શબ્દને લઈ અનેક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતે ભાજપ પર આપે નિશાન સાધ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશ માટે ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે તેના પર કેજરીવાલે નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી પ્રહાર કરતા કહ્યું કે હિમાચલ પ્રદેશમાં મફત વીજળી અને મફત સ્કુટી આપે છે તો ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધાઓ આપવાનો વિરોધ શા માટે કરે છે?

 

ભાજપના હિમાચલ માટે કરવામાં આવેલા સંકલ્પ પત્ર પર આપના પ્રહાર  

આમ આદમી પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે જેમાં બેરોજગારોને ભથ્થુ આપવાની વાત કરી છે, મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરી છે ઉપરાંત મફત વીજળી આપવાની વાત પણ કરી છે. આ વાતને લઈ ભાજપે અનેક વખત આમ આદમી પાર્ટીને નિશાના પર લીધી છે. ત્યારે આ વખતે આપે હિમાચલ પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રને લઈ પ્રહાર કર્યા છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં અનેક સુવિધાઓ મફતમાં આપવાની વાત કરી છે ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધા આપવાનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.