Aam Aadmi Party : Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava અને Umesh Makvana માટે ભગવંત માન આવશે ગુજરાત, આ તારીખો દરમિયાન કરશે પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-04-15 15:57:27

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવી ગયો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને સંબોધી રહ્યો છે અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાત લોકસભા બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે આપના બંને નેતાઓના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે તેવી માહિતી સામે આવી છે. 



ભગવંત માન આવશે ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. પ્રચારના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઉમેદવાર એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. ઉમેદવારો એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટી પર પણ નિશાન સાધવામાં આવે છે. આ બઘા વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે બે ઉમેદવારોના પ્રચાર માટે. મળતી માહિતી અનુસાર 16 અને 17 એપ્રિલે ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવવાના છે.



ઉમેશ મકવાણા તેમજ ચૈતર વસાવા માટે કરશે પ્રચાર 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ગઠબંધન કર્યું છે. ભાવનગરના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે તો ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે અને હવે પ્રચાર માટે ભગવંત માન ગુજરાત આવવાના છે. 16 એપ્રિલે ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા માટે પ્રચાર કરશે અને 17 એપ્રિલે ચૈતર વસાવા માટે પ્રચાર કરશે....       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.