આમ આદમી પાર્ટી પણ કરી રહી છે યુવરાજસિંહને દબાવવાનો પ્રયાસ? જાણો આ અંગે શું કહ્યું યુવરાજસિંહે જમાવટની ટીમને...


  • Published By :
  • Published Date : 2023-04-14 13:24:14

યુવરાજસિંહે થોડા દિવસ પહેલા એક લાઈવ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે. વાતો વાતોમાં તેમણે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. એક લાઈવ તેમણે કર્યું હતું જેમાં તેઓ અનેક વખત ભાવુક થયા હતા. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. તેમના કહ્યા અનુસાર તેમણે ત્રણ વખત પ્રોટેક્શનની માગ કરી હતી પરંતુ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. 

ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં ચાલ્યો ટ્રેન્ડ! 

થોડા દિવસ પહેલા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એક લાઈવ કર્યું હતું. તે લાઈવ દરમિયાન યુવારાજસિંહ અનેક વખત ભાવુક થયા હતા. પોતાના લાઈવ દરમિયાન તેમણે કહ્યું કે તેમના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે. પોતાના લાઈવમાં તેમણે કહ્યું કે મારા સુધી રહો તો સારૂ છે પરંતુ મારા પરિવાર સુધી પહોંચશો તો હું કોઈને છોડીશ નહી. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. જે બાદ ટ્વિટર પર એક ટ્રેન્ડ શરૂ થયું. યુવરાજસિંહના સમર્થનમાં અનેક લોકો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

 


યુવરાજસિંહે આમ આદમી પાર્ટી અંગે કરી વાત!

પહેલાના લાઈવમાં તેમણે પૂર્વમંત્રીની વાત કરી હતી. પરંતુ આજે જ્યારે જમાવટની ટીમે યુવરાજસિંહની સાથે વાત કરી હતી તો તેમણે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે વાતચીત દરમિયાન આમ આદમી પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું સામાજીક પ્રેસરની સાથે રાજકીય પ્રેશર પણ તેમના પર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને પણ ઉજાગર કરવાની વાત તેમણે કહી હતી.    


આ નેતા આવ્યા યુવરાજસિંહના સમર્થનમાં

યુવરાજસિંહના સમર્થનમાં અનેક નેતાઓ આવી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે યુવરાજસિંહના સમર્થનમાં હોવાની વાત કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પણ તેમના સમર્થનમાં હોવાની વાત કરી હતી.              



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.