બીજા તબક્કાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ વધાર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 11:25:45

બીજા તબક્કાના મતદાન પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં સ્ટાર પ્રચારકોને લાવ્યા છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા કરી રહ્યા છે. આ વખતે હરભજન સિંહ પણ ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે. અનેક સ્થળો પર રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Image

Image

આપનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 

ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ગુજરાતમાં પ્રથમ તહક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કા માટે પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અનેક વખત ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. 

Image

Image

અનેક સ્થળો પર યોજાશે રોડ-શો 

જો આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ શો યોજાવાનો છે. ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, ભગવંત માન, અલ્પેશ કથિરિયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન પણ જનસભા યોજવાના છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.