છત્તીસગઢ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ શરૂ કરી તૈયારી


  • Published By :
  • Published Date : 2023-01-01 16:36:29

2023માં દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરી લીધો છે. દિલ્હીમાં અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ત્યારે બીજા રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર આમ આદમી પાર્ટી ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છત્તીસગઢના રાજકારણમાં આપ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે.


કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહાર 

દિલ્હીમાં તેમજ પંજાબમાં જીત હાંસલ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી હતી. ગુજરાતમાં 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. ત્યારે છત્તીસગઢમાં પણ સંગઠન મજબૂત કરવા આપ પ્રયત્નશીલ છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠનને વિસ્તૃત કરવા અંગે પાર્ટી કામ કરી રહી છે. રાયપુરની મુલાકાતે સંજીવ જા પહોંચ્યા છે. સંજીવ જાએ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 


ચૂંટણી સમયે કરવામાં આવેલા વાયદા માત્ર કાગળ પર - સંજીવ 

કોંગ્રેસ પર હુમલો કરતા તેમણે કહ્યું કે છત્તીસગઢમાં કાનૂન વ્યવસ્થા બદથી બદતર થઈ ગઈ છે. મહિલાઓની સુરક્ષાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા પર પણ ખતરો છે. કોંગ્રેસની સરકારમાં વિકાસ મોડલ નહીં પરંતુ ભ્રષ્ટાચાર મોડલ બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેશ બેઘલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જનતાને અનેક વચનો આપ્યા હતા પરંતુ બધા વચનો હોર્ડિંગ સુધી સીમિત રહી ગયા છે. દવાઓ જેવી સ્વાસ્થ્ય સુવિધા દિલ્હીમાં મફત મળે છે. ઉપરાંત મોંઘવારીને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.