આમ આદમી પાર્ટીએ સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, ગુજરાતમાં ઝોન મુજબ નેતાઓને સોંપાઈ જવાબદારીઓ


  • Published By :
  • Published Date : 2023-01-04 15:15:55

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. તે મુજબ ઈસુદાન ગઢવીને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ બનાવાયા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી બનાવાયા છે. અલ્પેશ કથિયીયાને સુરતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ઉપરાંત ડો. રમેશ પટેલને પણ જવાબદારી સોંપાઈ છે. સૌરાષ્ટ્રની જવાબદારી જગમલ વાળાને સોંપાઈ હતી. જેવલ વસરાને પણ જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત કૈલાશ ગઢવીને પણ જવાબદારી અપાઈ છે. 

Image


ગોપાલ ઈટાલિયા પાસેથી છીનવાયું પ્રદેશ અધ્યક્ષ પદ

ગુજરાતમાં ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ ઘણી મહેનત કરી હતી. ગુજરાતમાં જોર-શોરથી પ્રચાર કર્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 182માંથી 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા પછી આમ આદમી પાર્ટીએ મંથન કર્યું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જે જવાબદારી પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે જવાબદારી હવે ઈસુદાન ગઢવી સંભાળશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. ગઈકાલે તેમની મીટિંગ મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.