ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:53:39

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  ત્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ એકદમ ગંભીર બની છે. તબક્કાવાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે આજે આપે ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું છે. 

 

ભાજપે તેમજ કોંગ્રેસે નથી કર્યા ઉમેદવારોના નામ જાહેર

ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી પંચની ટીમ પણ ગુજરાતની મુલાકાતે આવી હતી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ હવે થોડા સમયમાં જ ચૂંટણીની તારીખ જાહેર થઈ જશે. ભાજપ તેમજ કોંગ્રેસમાંથી કોઈએ પણ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીએ હજી સુધી 73 ઉમેદવારોનું નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે છઠ્ઠું લિસ્ટ આપે જાહેર કર્યું છે. ભૂજથી આપે રાજેશ પંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઈડરથી જયંતીભાઈ પ્રણામી, અમદાવાદની નિકોલ સીટ પરથી અશોક ગજેરાને મેદાનમાં ઉતાર્યા છે. કોડિનારથી વાલજીભાઈ મકવાણા ચૂંટણી લડવાના છે. મહુધા બેઠક પરથી રવજીભાઈ વોઘેલા,  બાલાસિનોરથી ઉદયસિંહ ચૌહાણ ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.