માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપનો કબજો, મહિપતસિંહ ચૌહાણ કેમ મેળ પાડશે?


  • Published By :
  • Published Date : 2022-11-01 18:19:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સિવાય કોઈ પક્ષે હજુ ઉમેદવારો જાહેર નથી કર્યા. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની આઠમી લિસ્ટ જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા ક્ષેત્ર પર મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 


માતર વિધાનસભા પર ભાજપનું પ્રભુત્વ 

હાલના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી આવે છે. દેવુસિંહ ચૌહાણનો માતર વિધાનસભા ક્ષેત્ર પર સારો દબદબો છે. 2002માં રાકેશ એડવોકેટ અને ત્યાર બાદ 2007થી 2014 સુધી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈ આવ્યા હતા. 2014 અને 2017થી માતર સીટ પર કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય છે. 2002થી અત્યાર સુધી ભાજપના જ ધારાસભ્યો આ વિધાનસભા ક્ષેત્ર પરથી ચૂંટાઈ આવ્યા છે હવે આ વખતે કોંગ્રેસ કયો રાજકીય દાવ રમશે તે જોવાનું રહેશે. આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે જ્યારે મહિપતસિંહ ચૌહાણ ખંભાત પરથી પણ દાવેદારીની માગ કરી રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કેસરીસિંહને ટિકિટ આપે કે નહીં તે ચર્ચાનો વિષય છે કારણ કે કેસરીસિંહના સમયાંતરે મોટા વિવાદો બહાર આવતા રહે છે. 


માતરના આવા કંઈક રાજકીય સમીકરણો છે

માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપ 2002થી છે. આ વિધાનસભા ક્ષેત્રમાં ક્ષત્રિય મતદારો વધારે છે, ત્યાર બાદ મુસ્લીમ અને પટેલ સમાજના મતદારો છે. કુલ 2 લાખ 26 હજાર મતદારોમાંથી ચાળીસ ટકા જેટલા મતદારો ક્ષત્રિય છે જ્યારે અનુસૂચિત જાતિના લોકો 5 ટકા જેટલા છે. આથી આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને મહિપતસિંહ જાડેજાના સમાજ સેવાના કામો પણ સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવ્યા છે.  ભાજપનો આ વિધાનસભા ક્ષેત્રમાં સારો દબદબો છે જ્યારે કોંગ્રેસ પણ પોતાની રીતના પ્રયાસો કરી રહી છે. 


આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મોકો આપ્યો છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ કોને મોકો આપશે તે હવે જોવાનું રહેશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.