આમ આદમી પાર્ટીએ નામ જાહેર કર્યા બાદ બદલ્યા ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2022-11-10 17:22:14

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. તબક્કાવાર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 14 વખત ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા છે ત્યારે ઉમેદવારોના નામમાં પાર્ટીએ ફેરફાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ એક ઉમેદવાર બદલ્યા છે. ખંભાત બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પહેલા ભરતસિંહ ચાવડાને જાહેર કર્યા હતા પરંતુ એકાએક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામને બદલી નાખ્યા છે.

Image

ઉમેદવારોના નામ કરાયા બદલી  

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. એક મોકો કેજરીવાલની થીમ પર આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી હતી. 14મું લિસ્ટ જાહેર કરી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. નામો જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની બદલી કરી નાખી છે. ખંભાત બેઠક પરથી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ હવે તેમની જગ્યાએ અરૂણ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. આ અગાઉ દહેગામથી યુવરાજસિંહ લડવાના હતા પરંતુ હવે તેમના સ્થાને સુહાગ પંચાલને ટિકિટ આપવામાં આવી છે.           




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.