મોરબીમાં બનેલી હોનારતને લઈ ભાજપ પર આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-10-31 12:43:45

મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. જેમાં સત્તા પક્ષ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે સાથે દુર્ઘટનાને લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

   

અરવિંદ કેજરીવાલે કાર્યક્રમો કર્યા રદ્દ  

આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી કહ્યું કે મૃતકો અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા આમ આદમી પાર્ટી આજે કોઈ રાજકીય કાર્યક્રમ નહીં કરે. તેમજ અરવિંદ કેજરીવાલે પણ પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. વધુમાં તેમણે કહ્યું કે મોરબીમાં પુલ તુટવાની જે ઘટના બની છે એમાં મૃતકોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.

  

ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે આ મુદ્દા પર રાજનીતિ કરવાની ના પાડી છે. આપે કહ્યું કે અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા પરંતુ માસુમ બાળકોએ પોતાના માં-બાપ ખોયા છે. તો કોઈએ પોતાના બાળકોને ખોયા છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.