TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, Yuvrajsinhની આગેવાની હેઠળ દાંડીથી શરૂ થઈ યુવા અધિકાર યાત્રા!


  • Published By :
  • Published Date : 2023-10-13 11:27:02

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે સરકાર સુધી તેમણે પોતાની વાતને પહોંચાડાવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આજે બે જગ્યાઓ પર રેલી નિકળવાની છે. એક યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા રેલી પ્રતિક ધરણા કરવામાં આવશે. 

 


આપ તેમજ કોંગ્રેસ પક્ષ આવ્યું ઉમેદવારોના સમર્થનમાં 

જ્ઞાન સહાયક રદ્દ કરાવા માટે યુવરાજસિંહની આગેવાનીમાં દાંડીથી ઉમેદવરો યાત્રા શરૂ કરવાના છે. દાંડીથી શરૂ થયેલી યાત્રા અમદાવાદ ખાતે આવીને સમાપ્ત થશે. આજથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ધરણા કરવામાં આવશે. વ્યારા ખાતે રેલી પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ ગાંધીનગર ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ઉમેદવારો હાજર હતા ઉપરાંત યુવરાજસિંહ પણ હાજર હતા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.