આમ આદમી પાર્ટીનો ભાજપ પર આક્ષેપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 10:25:33

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે. અનેક પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ફરી એક વખત વિવાદ સર્જાયો છે.

વડોદરા ખાતે આપની સભા

ગુજરાત વિધાનસભામાં પહેલી વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી જોર-શોરથી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ સાથે આ વખતે મનીષ સિસોદીયા પણ ગુજરાતમાં પ્રચાર કરવાના છે. વડોદરા ખાતે તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કરી જનતા સુધી તેઓ પોતાની વાત પહોંચાડવાના છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી છે જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

Arvind Kejriwal (@ArvindKejriwal) / Twitter

ભાજપ પર ઈસુદાન ગઢવીના પ્રહાર

ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર  ભાજપે હવે કેજરીવાલજીનો બરોડામાં કાર્યક્રમ ન થાય તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે. વધુ એક ટ્વિટ કરી તેમણે લખ્યું કે ટીવી મીડિયા વાળા તો સારા  છે  પરંતુ ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ડરી ગઈ છે કે એમણે સંપૂર્ણ મીડિયા પર કબ્જો કરી દબાવ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે આપ્યો જવાબ  

અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીની ટ્વિટ પર રિપ્લાય આપતા કહ્યું કે વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમ કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.