વશરામ સાગઠીયાની આમ આદમી પાર્ટીમાંથી હકાલપટ્ટી, શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં હાજર રહેતા પાર્ટીએ કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-20 17:39:36

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ફેરફારો થતાં જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ  નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પાર્ટીના નેતા વશરામ સાગઠિયા સામે આકરી કાર્યવાહી કરતા તેમની હકાલપટ્ટી કરી હતી. પાર્ટીના જણાવ્યા પ્રમાણે તેમના વિરૂધ્ધ કાર્યકરો દ્વારા ફરિયાદો મળતી હોવાથી પાર્ટીએ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે. પાર્ટીએ વશરામ સાગઠિયાને તમામ પદો પરથી બેદખલ કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વશરામ સાગઠિયા કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળતા અનેક અટકળોનું બજાર ગરમાયું હતું. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ગાંધી આશ્રમથી પાલડી સુધીની યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા હતા. 


શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળતા ગરમાયું રાજકારણ


કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અમદાવાદમાં યોજાયેલી પદયાત્રામાં AAP નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી સાથે જોવા મળ્યા હતા. વીડિયોમાં સાગઠિયા પોતાનું મોં છુપાવતા જોવા મળી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે આવતા સાગઠીયા કોંગ્રેસ નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. 


વશરામ સાગઠિયા પણ કોંગ્રેસમાં જોડાશે? 


AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ છે. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠીયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.