આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની, ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-04-10 21:29:01

આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રિય પાર્ટી બની ગઈ છે, ચૂંટણી પંચે આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે AAPએ રાષ્ટ્રીય પાર્ટી હોવાની તમામ શરતો પૂરી કરી છે. આમ આદમી પાર્ટીને તેના ચૂંટણી પ્રતિક ઝાડું સાથે રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી છે.


માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બની


અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં સારી પ્રગતિ કરી છે. દિલ્હી અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે. આ જ વર્ષે, આમ આદમી પાર્ટીએ દિલ્હી MCDમાં પહેલીવાર મેયર પદ કબજે કરીને ઈતિહાસ રચ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ AAPએ સારું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં પાર્ટીને લગભગ 12 ટકા વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષમાં દેશની કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીનો જન્મ 26 નવેમ્બર 2012ના રોજ થયો હતો. 10 એપ્રિલ 2023ના રોજ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરવામાં આવી હતી. હવે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણી પ્રતીક ઝાડુ માત્ર AAP માટે જ અનામત છે.


3 પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો


ચૂંટણી પંચે ત્રણ રાષ્ટ્રીય પક્ષો અને બે પ્રાદેશિક પક્ષો પાસેથી દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ આપને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP),તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)નો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જો કે આમ આદમી પાર્ટીને હવે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.