ભાવનગરમાં આખલાની અડફેટે આવતા એક યુવકનું મૃત્યુ થયું


  • Published By :
  • Published Date : 2022-10-25 16:23:27

રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ફરી એક વખત રખડતા પશુના હુમલાને કારણે ભાવનગરમાં એક યુવકનું મોત નિપજ્યું છે. દિવાળીના સમયે પરિવારના સભ્યનું મોત થતા તહેવારનો આનંદ માતમમાં બદલાઈ ગયો છે. ખરીદી માટે યુવક નીકળ્યો હતો પરંતુ ઘરે તે નહીં પરંતુ તેનો મૃતદેહ આવ્યો.

રખડતા પશુએ લીધો યુવકનો ભોગ

છેલ્લા અનેક સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. રસ્તા પર રખડતા પશુઓનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તાની વચ્ચોવચ ગાયોનો મેળાવડો જોવા મળે છે. જેને કારણે રાહદારીઓને પણ જીવનું જોખમ રહેતું હોય છે. દિવાળીના સમયે રખડતા પશુને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં 48 કલાક દરમિયાન રખડતા ઢોરને કારણે બીજુ મોત નિપજ્યું છે. 28 વર્ષીય યુવાનનું મોત થતા મૃતકના માતા પિતાએ જવાન દિકરાને ગુમાવ્યો છે. 

Stray cattle can be kept in municipal cattle sheds, which will be taken  care of by the state government' | Sandesh

ગાયોને કારણે અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સભ્ય

અનેક પરિવાર રખડતા પશુઓને કારણે વિખેરાઈ ગયા છે. કોઈએ પોતાનો સંતાન ગુમાવ્યો છે તો કોઈએ પોતાના પિતાને ગુમાવ્યા છે. રખડતા પશુઓથી લોકો ત્રાસી ગયા છે. હવે તો એવી હાલત થઈ ગઈ છે કે રસ્તા પર ગાયો હોય તો પણ લોકોને જવામાં બીક લાગે છે. કારણ કે ગમે ત્યારે ગાય હુમલો કરી શકે છે. રખડતા પશુને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. થોડા સમય પહેલા જ ગાયના હુમલાનો શિકાર એક માસુમ બન્યો હતો. પરંતુ સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો. આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ક્યાં સુધી તંત્રની ભૂલનો ભોગ સામાન્ય માણસ બનશે?

અદિકારીઓ માટે આ વાત એકદમ સામાન્ય હોઈ શકે. એક-બે વ્યક્તિના મરવાથી કદાચ અધિકારીને ફરક નહીં પડતો હોય પરંતુ તે પરિવારનું તો સર્વસ્વ લૂંટાઈ જતું હોય છે. પરિવાર તંત્રની ભૂલને કારણે પોતાના સભ્યને ગુમાવે છે. ત્યારે સરકારને પૂછવાનું મન થાય કે રખડતા પશુને કારણે કોઈનું મોત થાય તો કોણ જવાબદાર? જવાબદાર અધિકારી ઉપર કોઈ એક્શન લેવાશે?            



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.