મોરબીમાં મંદી અને માંદગીના કારણે યુવકે જીવન ટૂંકાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:14:22

ગુજરાત સરકારના રોજગારીના દાવા વચ્ચે મંદીના કારણે આપઘાતના કિસ્સા વધતા જાય છે જેમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના એક વેપારીએ જોધપર ગામ નજીક મચ્છુ ડેમમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તે છેલ્લા 2 દિવસથી ગાયબ હતા અને આજે તેમનો મૃતદેહ મચ્છુ ડેમમાંથી મળી આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હોય તેવી શંકા સેવાય રહી છે.



મંદી અને મોંઘવારીએ યુવકનો જીવ લીધો

મોરબીમાં રહીને સોનીકામ કરતા એક યુવકનો ધંધો ચાલતો ન હતો. યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હતા તેમજ તેવો બ્લડપ્રેશર અને બીજા શારીરિક રોગોથી પીડાતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બધા પડકારોની સામે હારી તેઓ 2 દીવસ પહેલા ગાયબ થઈ ગયા હતા. ગામના લોકોએ શોધખોળ કરતા આખરે 2 દિવસબાદ તેમની લાશ મળી આવી હતી. ત્યારબાદ મૃત્તદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.