મોરબીમાં મંદી અને માંદગીના કારણે યુવકે જીવન ટૂંકાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:14:22

ગુજરાત સરકારના રોજગારીના દાવા વચ્ચે મંદીના કારણે આપઘાતના કિસ્સા વધતા જાય છે જેમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના એક વેપારીએ જોધપર ગામ નજીક મચ્છુ ડેમમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તે છેલ્લા 2 દિવસથી ગાયબ હતા અને આજે તેમનો મૃતદેહ મચ્છુ ડેમમાંથી મળી આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હોય તેવી શંકા સેવાય રહી છે.



મંદી અને મોંઘવારીએ યુવકનો જીવ લીધો

મોરબીમાં રહીને સોનીકામ કરતા એક યુવકનો ધંધો ચાલતો ન હતો. યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હતા તેમજ તેવો બ્લડપ્રેશર અને બીજા શારીરિક રોગોથી પીડાતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બધા પડકારોની સામે હારી તેઓ 2 દીવસ પહેલા ગાયબ થઈ ગયા હતા. ગામના લોકોએ શોધખોળ કરતા આખરે 2 દિવસબાદ તેમની લાશ મળી આવી હતી. ત્યારબાદ મૃત્તદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તાપસ હાથ ધરી હતી. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.