અમેરિકામાં થયેલા પ્લેન ક્રેશમાં થયું મહિલાનું મોત, ઇન્ટ્રોડક્ટરી લેસન દરમિયાન સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-07 16:14:02

અમેરિકાના ન્યુયોર્કમાં રવિવારે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર બંને મહિલાઓ પ્લેન ઉડાવવાનું શીખવા માગતી હતી. આ પ્લેન ક્રેશમાં ભારતીય મૂળની મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે મહિલાની પુત્રી અને પાયલટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના પ્લેનના કોકપિટમાં આગ લાગવાને કારણે સર્જાઈ છે. લોન્ગ આઈલૈંડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.    


પ્લેન ક્રેશને કારણે થયું મહિલાની મોત 

પ્લેન ઉડાવવાની તાલીમ લઈ રહેલી હતી. આ ઉડાન પછી તેઓ નક્કી કરવાના હતા કે પ્લેન ઉડાવવાની તાલીમ લેવી કે ન લેવી તેનો નિર્ણય લેવાના હતા. પરંતુ આ દુર્ઘટના સર્જાઈ જેને કારણે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. પોલીસે જાણકારી આપી કે તાલીમ આપી રહેલા પાઈલોટ પૂર્ણ રીતે ટ્રેન હતા. કોકપિટમાં પાયલટને ધુમાડો દેખાયો હતો. ધૂમાડો દેખાતા આ જાણકારી ટ્રાફિક કંટ્રોલને આપી. ઘટના બાદ પ્લેનના માલિકે જણાવ્યું કે પ્લેને ઉડાન ભરી તે પહેલા પ્લેનની સારી રીતે ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે પ્લેનમાં કોઈ ખામી દેખાઈ ન હતી. 


કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે અકબંધ 

અમેરિકાના નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારીએ કહ્યું કે પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવી રહી છે. સાઈટની મુલાકાત પણ લેવામાં આવી રહી છે. કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે કારણો જાણી શકાયા નથી. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની પુત્રી દાઝી ગઈ હતી.        




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.