અમેરિકામાં થયેલા પ્લેન ક્રેશમાં થયું મહિલાનું મોત, ઇન્ટ્રોડક્ટરી લેસન દરમિયાન સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-07 16:14:02

અમેરિકાના ન્યુયોર્કમાં રવિવારે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર બંને મહિલાઓ પ્લેન ઉડાવવાનું શીખવા માગતી હતી. આ પ્લેન ક્રેશમાં ભારતીય મૂળની મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે મહિલાની પુત્રી અને પાયલટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના પ્લેનના કોકપિટમાં આગ લાગવાને કારણે સર્જાઈ છે. લોન્ગ આઈલૈંડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.    


પ્લેન ક્રેશને કારણે થયું મહિલાની મોત 

પ્લેન ઉડાવવાની તાલીમ લઈ રહેલી હતી. આ ઉડાન પછી તેઓ નક્કી કરવાના હતા કે પ્લેન ઉડાવવાની તાલીમ લેવી કે ન લેવી તેનો નિર્ણય લેવાના હતા. પરંતુ આ દુર્ઘટના સર્જાઈ જેને કારણે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. પોલીસે જાણકારી આપી કે તાલીમ આપી રહેલા પાઈલોટ પૂર્ણ રીતે ટ્રેન હતા. કોકપિટમાં પાયલટને ધુમાડો દેખાયો હતો. ધૂમાડો દેખાતા આ જાણકારી ટ્રાફિક કંટ્રોલને આપી. ઘટના બાદ પ્લેનના માલિકે જણાવ્યું કે પ્લેને ઉડાન ભરી તે પહેલા પ્લેનની સારી રીતે ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે પ્લેનમાં કોઈ ખામી દેખાઈ ન હતી. 


કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે અકબંધ 

અમેરિકાના નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બોર્ડના અધિકારીએ કહ્યું કે પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવી રહી છે. સાઈટની મુલાકાત પણ લેવામાં આવી રહી છે. કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે કારણો જાણી શકાયા નથી. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની પુત્રી દાઝી ગઈ હતી.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે