એક Viral Videoએ આણંદ એસટી વિભાગની પોલી ખોલ! સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા અપનાવી આવી ટ્રીક! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-06 14:33:49

થોડા દિવસ પહેલા 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત થઈ હતી. ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેન્ડની સફાઈ કરી હતી, તે ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે આ સફાઈ અભિયાનની વાત એટલા માટે કરવી છે કારણ કે આણંદ એસટી બસ ડેપોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પહેલા કર્મચારી દ્વારા કચરો ફેકવામાં આવે છે અને પછી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં મહાનુભાવો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા બાદ એસ.ટી.બસ મથકમાં નાંખવામાં આવેલ કચરાની સાફ સફાઈ કરી હતી.

       

હર્ષ સંઘવીએ ફોટો કર્યો હતો શેર!

આપણે જ્યારે એસટી બસ સ્ટેશનની મુલાકાત લઈ છીએ, એસટી બસમાં સફર કરીએ છીએ તો આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે એસટી બસમાં તો સફાઈ નથી હોતી. અનેક એસટી બસમાં ગંદકી જોવા મળતી હોય છે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેન્ડ પર સફાઈ જળવાઈ રહે તે માટે 'શુભ યાત્રા સ્વચ્છ યાત્રા' અભિયાનની શરૂઆત. જે અંતર્ગત એસટી બસની તેમજ એસટી સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી હતી. એસટી બસ ડેપોમાં તેમજ એસટી બસમાં સફાઈ જળવાઈ રહે અને સ્ટેશન પર પણ સફાઈ રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હર્ષ સંઘવી સફાઈ કરતા હતા તે ફોટો જ્યારે અમે સમાચારમાં મૂક્યા ત્યારે દર્શકોએ કહ્યું કે આ તો માત્ર ફોટો સેશન માટે છે, જે જગ્યા સાફ છે ત્યાં સફાઈ કરવામાં આવી રહી છે વગેરે વગેરે... 


Anand ST's play to make the Swachh Yatra a success, first threw the garbage himself and then got MPs, MLAs to clean it સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા આણંદ STનું નાટક, પહેલા જાતે કચરો નાંખ્યો પછી સાંસદ, MLA પાસે સફાઈ કરાવી

લોકોમાં આ વીડિયો અંગે થઈ રહી છે ચર્ચા 

ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કાર્યક્રમને સફળ કરવા માટે નાટક કરવામાં આવ્યું હોય તેનો પર્દાફાશ થયો છે! એસટી પ્રશાસનનાં અધિકારીઓ સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં જાતે જ કચરો નંખાવ્યો હતો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું તેવો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો એસટી બસમાં ચારેય બાજુ નાખી રહ્યો છે. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં લોકો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા જે જોયા હશે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આ અંગે ચર્ચા થઈ રહી છે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.