વલસાડનું એક ગામ જ્યાં અંતિમયાત્રા કાઢવા માટે પણ લોકોએ કરવો પડે છે સંઘર્ષ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-09 15:22:46

વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. ઠેર ઠેર વરસાદના દ્રશ્યો સામે આવતા હોય છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, અનેક બ્રિજો તેમજ રસ્તાઓ વરસાદને કારણે તૂટી પણ ગયા છે. અનેક લોકો વરસાદને એન્જોય કરતા હોય છે તો કોઈ માટે આ વરસાદ મુસીબત લઈને આવતું હોય છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જતું હોય છે. અનેક જગ્યાઓથી વરસાદને કારણે નયનરમ્યો દ્રશ્યો સર્જાયા છે તો અનેક જગ્યા પર વરસાદ વિનાશકારી સાબિત થયો છે. ત્યારે વલસાડથી એક ઘટના સામે આવી છે જેમાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે અંતિમયાત્રા નિકાળવા લોકો મજબૂર બન્યા હતા.

 


એમ્બ્યુલન્સ અટવાઈ જતા ગયો હતો વૃદ્ધાનો જીવ 

અનેક જગ્યાઓથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગર્ભવતી મહિલાને પલંગ પર બેસાડી બીજા સ્થળ પર ખસેડવામાં આવી હતી. તે સિવાય પણ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રેસ્ક્યુ કરી લોકોનો જીવ બચાવવો પડતો હતો. થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરમાં પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ ટાઈમ પર ન પહોંચી શકી હતી જેને લઈ વૃદ્ધાનો જીવ જતો રહ્યો હતો. એ સિવાય પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરાયું હતું. 


અંતિમસંસ્કાર કરવા માટે પરિવારજનોએ કરવો પડે છે સંઘર્ષ 

વરસાદના ધસમસતા પ્રવાહ વચ્ચે મૃતકના અંતિમ સંસ્કાર કરવા જતા લોકોની તસવીરો સામે આવી હતી. અંતિમયાત્રાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે વલસાડ તાલુકાના કાકડમટી ગામના છે.  અંતિમ યાત્રા કરવા માટે લોકોને અગ્નિ પરીક્ષા આપવી પડી રહી છે. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પુલના અભાવે દર ચોમાસે જ્યારે કોઈના અંતિમસંસ્કાર કરવા જવું હોય ત્યારે આવા ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. પુલ બનાવામાં આવે તે માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો ચોમાસાની સિઝનમાં કોઈનું મોત થાય છે તો અંતિમસંસ્કાર કરવા માટે તેમણે આ રસ્તા પરથી પસાર થવું પડે છે. 


પુલ બનાવવા માટે અનેક વખત કરાઈ છે રજૂઆત 

જે જગ્યાની વાત થઈ રહી છે તે ગામમાં સ્મશાનગૃહ નદીના પેલે છેડે આવેલું છે. નદી ઓળંગીને બીજા કિનારે પહોંચવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે જો પુલનું નિર્માણ કરવામાં આવે તો જીવના જોખમે અંતિમયાત્રા નિકાળવી ન પડે. નદીમાંથી પસાર થઈ મૃતકના પરિવારજનો પોતાના સ્વજનને અંતિમવિદાય આપે છે.   





થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!