Gujaratનું એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલી વખત વીજળી પહોંચી, ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 10:12:28

વિકસિત ગુજરાતમાં વધુ એક ચોંકાવનારી હકીકતની ઘટના સામે આવી છે, ગુજરાતમાં એક ગામ એવું પણ હતુ જ્યાં વર્ષો વીતી ગયા છતાં લોકો વીજળીથી દુર હતા, હવે આ લોકોને પોતાના ઘરમાં વીજળી મળતાં દિવાળી જેવો માહોલ છવાયો છે.

આઝાદી બાદ પહેલી વખત ગામમાં આવી વીજળી!

અમરેલી જિલ્લામાંથી એક ખાસ સામાચાર સામે આવ્યા છે, અહીં જિલ્લાના રાજુલાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારમાં હાલમાં વગર દિવાળીએ દિવાળી જેવો આનંદનો માહોલ છવાયો છે, ખરેખરમાં અહીં વર્ષો બાદ લોકોના ઘરોમાં વીજળી આવી છે. મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ પહેલીવાર વીજળી મળી છે, આ પરિવારો અહીંયા અંધાપટમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં હતા, હવે તેમનો અંધારપટ દુર થયો છે. 



વીજળી આવતા ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ! 

આમ તો માનવામાં ના આવે તેવી વાત છે પણ અમરેલીનું મીરા દાતાર ગામ દેશની આઝાદીથી છેક આજ સુધી વીજળીની સુવિધાથી વિહોણું હતું. છેવાડાના આ ગામમાં વીજળીરૂપી વિકાસ નહોતો પહોંચ્યો પરંતુ અમૃતકાળમાં હવે ગામમાં રોશની પહોંચી છે અને લોકજીવનમાં અજવાળા પથરાયા છે. અમરેલીના રાજુલા તાલુકાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ આજે વીજળી આવતા લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં રહેતા લોકો લાંબા સમયથી વીજળી વગર અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જે આજે દૂર થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.


સ્થાનિક ધારાસભ્યના કારણે ગામમાં પહોંચી વીજળી! 

ખાસ વાત છે કે, મીરા દાતાર વિસ્તારના 30 પરિવારોએ અનેકવાર તંત્ર અને સરકાર સામે પોતાની વીજળીની સમસ્યાઓ મુકી હતી. જોકે સ્થાનિક ધારાસભ્યના કારણે વીજળી ગામ સુધી પહોંચી છે. મહત્વનું છે કે આપણે વિકાસશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાતની ગમે તેટલી વાતો કરીએ, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને વિકસીત બતાવીએ પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારો એવા છે જે પાયાની સુવિધાઓથી વંચિત છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.