Gujaratના આણંદમાં આવેલું એક ગામ જ્યાં 15 વર્ષથી નથી આવી વિજળી, દિવો પ્રગટાવી પોતાના ભવિષ્યને ઉજવળ બનાવવા બાળકોનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-08-19 12:20:46

ગુજરાત એટલે ગતિશીલ મનાતું રાજ્ય. ગુજરાત એટલે કે વિકાસની રેસમાં સતત આગળ વધતું રાજ્ય. સરકાર દ્વારા ગુજરાત માટે આવા વાક્યોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં  વિકાસ થયો છે એની ના નથી પરંતુ જ્યારે તમે કહો છો કે આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ છે, વિકાસના કામોને કારણે ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે તો સરકાર દ્વારા કરવામાં આવતો દાવો ખોટો પડશે. 

 જનક જાગીરદાર, પેટલાદ: મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર સિલવાઈ ગામના 30 પરિવારો છેલ્લા 15 વર્ષથી અંધારપટમાં જીવે છે. તળપદા સમાજના 30 પરિવારો વીજળી નથી, તેમજ તેમના વિસ્તારમાં રસ્તાની સમસ્યા છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગોથી પણ પરેશાન છે. તેમના જણાવ્યા મુજબ, વીજળી કનેક્શન માટે સરકારી વહીવટી તંત્રમાં રજૂઆતો કરીને થાક્યા પણ આજ દિન સુધી વીજળી કનેક્શન મળ્યું નથી.

એક એવું ગામ જ્યાં પરિવારો અંધારામાં રહેવા મજબૂર

આજે વાત કથળતા શિક્ષણ કે નલ સે જલ યોજનાની નથી કરવી, આજે વાત કરવી છે એ ગામની જ્યાં વર્ષો વિતી ગયા પરંતુ લાઈટો નથી. આખા ગામમાં અંધારપટ છવાયેલો છે. પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છે જે આણંદમાં આવેલું છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા સિલવાઈ ગામની. આ ગામમાં 30 જેટલા પરિવારો રહે છે, 15 વર્ષથી આ ગામમાં વિજળી નથી. અંધારામાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. વીજળી તો નથી જ પરંતુ રસ્તા પણ નથી. યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય રહેતો હોય છે. 

 પેટલાદ તાલુકાના સિલવાઈ ગ્રામ્ય પંચાયતનો સરકારી વહીવટ પેટલાદ તાલુકા પંચાયત હસ્તક છે અને આ ગામના નાગરિકોનો મતાધિકાર સોજીત્રા વિધાનસભામાં છે. તેમની હાલત પેલી જૂની કહેવત '...ના ઘર ના ઘાટ કા' જેવી છે. સિલવાઈ ગામના ચરા વિસ્તારમાં પાકા મકાનો ધરાવતા 30 પરિવારોની વીજળી વગરનું જીવન અંધકારમય છે.

આ કારણોસર અટક્યું છે કામ!

સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. ગામમાં પાકા મકાન છે પરંતુ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. 30 પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. દિવા નીચે બાળકો ભણવા મજબૂર બન્યા છે. એવું પણ સામે આવ્યું છે કે અધિકારીઓ કહે છે કે આ જમીન ગોચરની છે, જ્યારે સ્થાનિકો કહે છે કે આ જમીન ગોચરની નથી. સ્થાનિકો પાસે તમામ દસ્તાવેજો છે. સરકારી કાગળની મથામણને કારણે, ડોક્યુમેન્ટને કારણે આટલા પરિવારો અને આટલા લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. 

 સિલવાઈ ગ્રામ્ય પંચાયતના ચરા વિસ્તારમાં રહેતા 30 પરિવારોના મહિલા સભ્યોએ અંધારામાં જમવાનું બનાવવું પડે છે. તેમજ બાળકોને અભ્યાસ પણ દિવા નીચે બેસીને કરવો પડે છે. જે આ લોકોના જીવનની કડવી વાસ્તવિકતા છે. સિલવાઈ ગામના અંધારપટ વિશે ન્યૂઝ 18 ગુજરાતીએ જયારે જવાબદાર વહીવટી તંત્રને સવાલ કર્યો ત્યારે જવાબદાર અધિકારોએ જણાવ્યું કે, આ સરકારી ગૌચરની જમીન છે. જ્યારે સામે પક્ષે સ્થાનિકો પાસે આ જમીન ગૌચરની નથી તેના દસ્તાવેજી પુરાવા તેમની પાસે છે.

જે લોકો ગામડામાં રહે છે તે પણ ગુજરાતના જ વતની છે 

ગુજરાતના મહાનગરો, જિલ્લાઓમાં વિકાસના કામો થયા છે પરંતુ અંતરિયાળ ગામોની હાલત આટલા વર્ષો વિત્યા પરંતુ ઠેરની ઠેર છે. આ મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે અને ઉઠાવાતો રહેશે. કારણ કે જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે તે પણ ગુજરાતના જ છે, ગુજરાતના જ વતની છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!