Gujaratના આણંદમાં આવેલું એક ગામ જ્યાં 15 વર્ષથી નથી આવી વિજળી, દિવો પ્રગટાવી પોતાના ભવિષ્યને ઉજવળ બનાવવા બાળકોનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-08-19 12:20:46

ગુજરાત એટલે ગતિશીલ મનાતું રાજ્ય. ગુજરાત એટલે કે વિકાસની રેસમાં સતત આગળ વધતું રાજ્ય. સરકાર દ્વારા ગુજરાત માટે આવા વાક્યોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં  વિકાસ થયો છે એની ના નથી પરંતુ જ્યારે તમે કહો છો કે આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વિકાસ જ વિકાસ છે, વિકાસના કામોને કારણે ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે તો સરકાર દ્વારા કરવામાં આવતો દાવો ખોટો પડશે. 

 જનક જાગીરદાર, પેટલાદ: મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર સિલવાઈ ગામના 30 પરિવારો છેલ્લા 15 વર્ષથી અંધારપટમાં જીવે છે. તળપદા સમાજના 30 પરિવારો વીજળી નથી, તેમજ તેમના વિસ્તારમાં રસ્તાની સમસ્યા છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગોથી પણ પરેશાન છે. તેમના જણાવ્યા મુજબ, વીજળી કનેક્શન માટે સરકારી વહીવટી તંત્રમાં રજૂઆતો કરીને થાક્યા પણ આજ દિન સુધી વીજળી કનેક્શન મળ્યું નથી.

એક એવું ગામ જ્યાં પરિવારો અંધારામાં રહેવા મજબૂર

આજે વાત કથળતા શિક્ષણ કે નલ સે જલ યોજનાની નથી કરવી, આજે વાત કરવી છે એ ગામની જ્યાં વર્ષો વિતી ગયા પરંતુ લાઈટો નથી. આખા ગામમાં અંધારપટ છવાયેલો છે. પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છે જે આણંદમાં આવેલું છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા સિલવાઈ ગામની. આ ગામમાં 30 જેટલા પરિવારો રહે છે, 15 વર્ષથી આ ગામમાં વિજળી નથી. અંધારામાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. વીજળી તો નથી જ પરંતુ રસ્તા પણ નથી. યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય રહેતો હોય છે. 

 પેટલાદ તાલુકાના સિલવાઈ ગ્રામ્ય પંચાયતનો સરકારી વહીવટ પેટલાદ તાલુકા પંચાયત હસ્તક છે અને આ ગામના નાગરિકોનો મતાધિકાર સોજીત્રા વિધાનસભામાં છે. તેમની હાલત પેલી જૂની કહેવત '...ના ઘર ના ઘાટ કા' જેવી છે. સિલવાઈ ગામના ચરા વિસ્તારમાં પાકા મકાનો ધરાવતા 30 પરિવારોની વીજળી વગરનું જીવન અંધકારમય છે.

આ કારણોસર અટક્યું છે કામ!

સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. ગામમાં પાકા મકાન છે પરંતુ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. 30 પરિવારો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. દિવા નીચે બાળકો ભણવા મજબૂર બન્યા છે. એવું પણ સામે આવ્યું છે કે અધિકારીઓ કહે છે કે આ જમીન ગોચરની છે, જ્યારે સ્થાનિકો કહે છે કે આ જમીન ગોચરની નથી. સ્થાનિકો પાસે તમામ દસ્તાવેજો છે. સરકારી કાગળની મથામણને કારણે, ડોક્યુમેન્ટને કારણે આટલા પરિવારો અને આટલા લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. 

 સિલવાઈ ગ્રામ્ય પંચાયતના ચરા વિસ્તારમાં રહેતા 30 પરિવારોના મહિલા સભ્યોએ અંધારામાં જમવાનું બનાવવું પડે છે. તેમજ બાળકોને અભ્યાસ પણ દિવા નીચે બેસીને કરવો પડે છે. જે આ લોકોના જીવનની કડવી વાસ્તવિકતા છે. સિલવાઈ ગામના અંધારપટ વિશે ન્યૂઝ 18 ગુજરાતીએ જયારે જવાબદાર વહીવટી તંત્રને સવાલ કર્યો ત્યારે જવાબદાર અધિકારોએ જણાવ્યું કે, આ સરકારી ગૌચરની જમીન છે. જ્યારે સામે પક્ષે સ્થાનિકો પાસે આ જમીન ગૌચરની નથી તેના દસ્તાવેજી પુરાવા તેમની પાસે છે.

જે લોકો ગામડામાં રહે છે તે પણ ગુજરાતના જ વતની છે 

ગુજરાતના મહાનગરો, જિલ્લાઓમાં વિકાસના કામો થયા છે પરંતુ અંતરિયાળ ગામોની હાલત આટલા વર્ષો વિત્યા પરંતુ ઠેરની ઠેર છે. આ મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે અને ઉઠાવાતો રહેશે. કારણ કે જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે તે પણ ગુજરાતના જ છે, ગુજરાતના જ વતની છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.