Jamawatને એક દર્શકે મોકલ્યો વીડિયો જેમાં હાઈવે પર આવેલી હોટલમાં MRP કરતા વધારે રુપિયા ઉઘરાવાયા! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-02 16:07:35

આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે કોઈ હોટલમાં નાસ્તા માટે બસને રોકવામાં આવે છે. હાઈવે પર જ્યારે કોઈ બસ ઉભી રહે ત્યારે અનેક લોકો પાણી, નાસ્તો અથવા તો ColdDrink લેવા માટે હોટલમાં જતા હોય છે. પરંતુ અનેક હોટલ એવી હોય છે, હાઈવે પર અનેક હોટલો હોય છે જે એમઆરપી કરતા વધારે રુપિયા ગ્રાહક પાસેથી વસુલતી હોય છે. ત્યારે જમાવટને એક દર્શકે વીડિયો મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા કોલ્ડ્રિંગનો વધારે રુપિયા લેવામાં આવ્યા. જે દર્શકે વીડિયો મોકલ્યો છે તેમના અનુસાર રોજકોટ જેતપુર રોડ પર આવેલી એક હોટલમાં એમઆરપી કરતા વધારે રૂપિયા લેવામાં આવ્યા છે.

ફિક્સ જગ્યા પર એસટી બસને રોકવામાં આવે છે! 

જમાવટને અનેક દર્શકો પોતાની સમસ્યા અથવા તો લોકો સાથે થતી છેતરપિંડી થતા હોવાના વીડિયો, સમાચાર મોકલતા હોય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં ઉઘાડી લૂંટ આચરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધારે રુપિયા લેવામાં આવ્યા છે. હાઈવે પર અનેક વખત હોટલ દ્વારા મનફાવે તેટલા રૂપિયા લેવામાં આવતા હોય છે. એસટી બસ જે હોટલમાં હોલ્ટ કરે છે તે પણ ફિક્સ હોય છે. ફિક્સ જગ્યા પર બસને રોકવામાં આવે છે, તે આપણે જાણીએ છીએ. 


એમઆરપી કરતા વસ્તુના વધારે લેવાય છે રુપિયા! 

ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવે છે. વીડિયોમાં સંભળાય છે કે એક વ્યક્તિ બોલી રહ્યા છે કે તેમને હોટલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વધારે ભાવ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે તેમને એસટી વાળાને પૈસા આપવાના હોય છે.! એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શા માટે એમઆરપી કરતા કેમ વધારે ભાવ લેવામાં આવે છે...? થોડા સમય સુધી તો તે બોલતા નથી પરંતુ તે પછી પેલા વ્યક્તિ કહે છે કે હાઈવેનો ભાવ છે.. 

શું એસટી બસ વાળાને આપવું પડે છે કમિશન?

મહત્વનું છે કે આપણે પણ અનેક વખત જોયું હશે કે હાઈવે પર આવેલી હોટલ અનેક વખત એએમઆરપી કરતા વધારે ભાવ લેતી હોય છે. વધારે પૈસા પડાવતી હોય છે. આપણે પણ કદાચ વધારે ભાવ આપી દીધા હશે કંઈ પણ પૂછ્યા વગર. મનમાં આપણને પણ ખબર હોય છે કે હાઈવેને કારણે વધારે ભાવ લેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું વધારે ભાવ એટલા માટે લેવામાં આવે છે કારણ કે તેમને જીએસઆરટીસી વાળાને કમિશન આપવું પડે છે? પ્રશ્ન એ પણ થાય કે શા માટે એસટી બસ વાળા ફિક્સ કરેલી હોટલ પર બસ રોકી રાખે છે? આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.