Jamawatને એક દર્શકે મોકલ્યો વીડિયો જેમાં હાઈવે પર આવેલી હોટલમાં MRP કરતા વધારે રુપિયા ઉઘરાવાયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-02 16:07:35

આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે કોઈ હોટલમાં નાસ્તા માટે બસને રોકવામાં આવે છે. હાઈવે પર જ્યારે કોઈ બસ ઉભી રહે ત્યારે અનેક લોકો પાણી, નાસ્તો અથવા તો ColdDrink લેવા માટે હોટલમાં જતા હોય છે. પરંતુ અનેક હોટલ એવી હોય છે, હાઈવે પર અનેક હોટલો હોય છે જે એમઆરપી કરતા વધારે રુપિયા ગ્રાહક પાસેથી વસુલતી હોય છે. ત્યારે જમાવટને એક દર્શકે વીડિયો મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા કોલ્ડ્રિંગનો વધારે રુપિયા લેવામાં આવ્યા. જે દર્શકે વીડિયો મોકલ્યો છે તેમના અનુસાર રોજકોટ જેતપુર રોડ પર આવેલી એક હોટલમાં એમઆરપી કરતા વધારે રૂપિયા લેવામાં આવ્યા છે.

ફિક્સ જગ્યા પર એસટી બસને રોકવામાં આવે છે! 

જમાવટને અનેક દર્શકો પોતાની સમસ્યા અથવા તો લોકો સાથે થતી છેતરપિંડી થતા હોવાના વીડિયો, સમાચાર મોકલતા હોય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં ઉઘાડી લૂંટ આચરવામાં આવતી હોય છે. અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધારે રુપિયા લેવામાં આવ્યા છે. હાઈવે પર અનેક વખત હોટલ દ્વારા મનફાવે તેટલા રૂપિયા લેવામાં આવતા હોય છે. એસટી બસ જે હોટલમાં હોલ્ટ કરે છે તે પણ ફિક્સ હોય છે. ફિક્સ જગ્યા પર બસને રોકવામાં આવે છે, તે આપણે જાણીએ છીએ. 


એમઆરપી કરતા વસ્તુના વધારે લેવાય છે રુપિયા! 

ત્યારે એક દર્શકે વીડિયો બનાવીને મોકલ્યો છે જેમાં એમઆરપી કરતા વધારે પૈસા ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવે છે. વીડિયોમાં સંભળાય છે કે એક વ્યક્તિ બોલી રહ્યા છે કે તેમને હોટલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વધારે ભાવ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે તેમને એસટી વાળાને પૈસા આપવાના હોય છે.! એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શા માટે એમઆરપી કરતા કેમ વધારે ભાવ લેવામાં આવે છે...? થોડા સમય સુધી તો તે બોલતા નથી પરંતુ તે પછી પેલા વ્યક્તિ કહે છે કે હાઈવેનો ભાવ છે.. 

શું એસટી બસ વાળાને આપવું પડે છે કમિશન?

મહત્વનું છે કે આપણે પણ અનેક વખત જોયું હશે કે હાઈવે પર આવેલી હોટલ અનેક વખત એએમઆરપી કરતા વધારે ભાવ લેતી હોય છે. વધારે પૈસા પડાવતી હોય છે. આપણે પણ કદાચ વધારે ભાવ આપી દીધા હશે કંઈ પણ પૂછ્યા વગર. મનમાં આપણને પણ ખબર હોય છે કે હાઈવેને કારણે વધારે ભાવ લેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું વધારે ભાવ એટલા માટે લેવામાં આવે છે કારણ કે તેમને જીએસઆરટીસી વાળાને કમિશન આપવું પડે છે? પ્રશ્ન એ પણ થાય કે શા માટે એસટી બસ વાળા ફિક્સ કરેલી હોટલ પર બસ રોકી રાખે છે? આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!