Bhavngarથી સામે આવ્યો એક વીડિયો જેમાં રેલવે ટ્રેક પરથી સિંહો પસાર થઈ રહ્યા હતા, માલગાડી આવી, સિંહોને જોતા જ લોકો પાયલોટે..


  • Published By :
  • Published Date : 2024-06-17 18:07:40

સિંહોની, વન્ય પ્રાણીઓની સુરક્ષા કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. વન્ય જીવ કેવી રીતે સુરક્ષિત રહે તે માટે, તેમની સુરક્ષા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણી આવી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. સિંહોના. પ્રાણીઓના મોત થઈ જતા હોય છે. આજે પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ ડ્રાઈવરની સતર્કતાને કારણે અનેક સિંહોના જીવ બચી ગયા.. સિંહો ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે જોઈ તાત્કાલિક બ્રેક મારવામાં આવી અને ટ્રેનને રોકી દીધી..   


10 જેટલા સિંહો ટ્રેક પરથી થઈ રહ્યા હતા પસાર 

અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટતા હોય છે.. આવી દુર્ઘટનાઓને કારણે અનેક વન્ય પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સિંહો આજે પણ કદાચ મોતને ભેટી શકતા જો સમયસર લોકો પાયલટ દ્વારા બ્રેક મારવામાં આવી ના હોત... મળતી માહિતી અનુસાર ભાવનગરના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડી જઈ રહી હતી. જે ટ્રેક પર માલગાડી જઈ રહી હતી તે ટ્રેક પરથી 10 જેટલા સિંહો પસાર થઈ રહ્યા હતા. આ જોયા બાદ લોકો પાયલટ દ્વારા ઈમરજન્સી બ્રેક મારવામાં આવી અને સિંહોના ટોળાને પસાર થવા દીધો..



ઈમરજન્સી બ્રેકે બચાવી સિંહોની જાન!

સિંહો ટ્રેક પરથી પસાર થઈ ગયા તે બાદ માલગાડીને આગળ વધારવામાં આવી. ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી. લોકો પાયલટની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર તેમજ અન્ય અધિકારીએ આ કાર્યની પ્રશંસા કરી છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.