Bhavngarથી સામે આવ્યો એક વીડિયો જેમાં રેલવે ટ્રેક પરથી સિંહો પસાર થઈ રહ્યા હતા, માલગાડી આવી, સિંહોને જોતા જ લોકો પાયલોટે..


  • Published By :
  • Published Date : 2024-06-17 18:07:40

સિંહોની, વન્ય પ્રાણીઓની સુરક્ષા કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. વન્ય જીવ કેવી રીતે સુરક્ષિત રહે તે માટે, તેમની સુરક્ષા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણી આવી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. સિંહોના. પ્રાણીઓના મોત થઈ જતા હોય છે. આજે પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ ડ્રાઈવરની સતર્કતાને કારણે અનેક સિંહોના જીવ બચી ગયા.. સિંહો ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે જોઈ તાત્કાલિક બ્રેક મારવામાં આવી અને ટ્રેનને રોકી દીધી..   


10 જેટલા સિંહો ટ્રેક પરથી થઈ રહ્યા હતા પસાર 

અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટતા હોય છે.. આવી દુર્ઘટનાઓને કારણે અનેક વન્ય પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સિંહો આજે પણ કદાચ મોતને ભેટી શકતા જો સમયસર લોકો પાયલટ દ્વારા બ્રેક મારવામાં આવી ના હોત... મળતી માહિતી અનુસાર ભાવનગરના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડી જઈ રહી હતી. જે ટ્રેક પર માલગાડી જઈ રહી હતી તે ટ્રેક પરથી 10 જેટલા સિંહો પસાર થઈ રહ્યા હતા. આ જોયા બાદ લોકો પાયલટ દ્વારા ઈમરજન્સી બ્રેક મારવામાં આવી અને સિંહોના ટોળાને પસાર થવા દીધો..



ઈમરજન્સી બ્રેકે બચાવી સિંહોની જાન!

સિંહો ટ્રેક પરથી પસાર થઈ ગયા તે બાદ માલગાડીને આગળ વધારવામાં આવી. ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી. લોકો પાયલટની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર તેમજ અન્ય અધિકારીએ આ કાર્યની પ્રશંસા કરી છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે