જામનગરથી ગરબાનો વીડિયો વાયરલ થયો જેને જોઈ તમે પણ કહેશો, ભલે ગુજરાતીઓને ગરબા પ્રિય હોય પરંતુ સાવ આવું તો ના જ હોય....


  • Published By :
  • Published Date : 2023-07-25 14:40:49

હાલ અકસ્માત ઓવરસ્પીડને કારણે સર્જાઈ રહ્યા છે. ફૂલ સ્પીડ હોવાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં જ આવી જ એક ઘટનાનું પ્રત્યક્ષ ઉદાહરણ અમદાવાદમાં બનેલો અકસ્માત છે. ઈસ્કોન ખાતે જે દુર્ઘટના બની તેમાં 10 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમે એવું માનતા હતા કે આ દુર્ઘટના બાદ લોકોમાં સુધાર આવ્યો હશે પરંતુ જ્યારે અમે કહેતા હોઈએ કે આપણે નાગરિકો નહીં પરંતુ ઘેટા-બકારાની ભીડ ભેગી કરીએ છીએ તો તે અતિશયોક્તિ નથી. અમદાવાદની ઘટનાને હજી દિવસો જ વિત્યા છે ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાહેર રસ્તા પર લોકોનું ટોળું ગરબા રમી રહ્યું છે.   

રસ્તા વચ્ચે લોકો ઘૂમ્યા ગરબે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે આવનાર દિવસોમાં અકસ્માત રિલ બનાવવાને કારણે થશે.આ વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ગ્રુપ રસ્તા વચ્ચે ગરબા રમે છે. આ વીડિયો જામનગરના બેડી બંદર રોડ પરનો છે. રીલ બનાવવા માટે કેટલાક યુવક  યુવતીઓ રસ્તાની વચ્ચે ગરબે ઘૂમ્યા હતા. વીડિયો એટલો બધો વાયરલ થયો કે તે પોલીસ સુધી પહોંચ્યો. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પોલીસે “રાસરસીયા ગરબા કલાસીસ”ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


આપણી સમક્ષ થતી ઘટનાઓ પરથી શિખવાની જરૂર છે... 

હાલ તે લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે પણ શરમ આવવી જોઈએ કે આટલી ઘટનાઓ થયા પછી પણ આપણે સુધરતા નથી. રસ્તો કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી, કે મરજી પડે તેમ સ્ટંટ કરો. આપણે એક નાગરીક તરીકે એટલું પણ ધ્યાન નથી રાખી શક્તા કે બેસિક રૂલ્સ ફોલ્લો ફરીવી એ આપણી ફરજ છે. બીજા કોઈ માટે નહીં પરંતુ પોતાના માટે તો કાયદાનું પાલન કરવું જોઈએ. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ લોકો સમજતા નથી કે રસ્તા પર ભીડ ભેગી થવાથી કેવો અકસ્માત થઈ શકે છે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આપણે રસ્તાને બાપની પ્રોપર્ટી સમજીને કઈ પણ કરીએ તે યોગ્ય નથી. અમારું માત્ર એટલું જ કહવું છે કે તમે સમજો અને ના પીડિત બનો ના આરોપી બનો!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.