પાટણમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં જોવા મળ્યો અનોખો નજારો, ડાયરામાં રૂપિયાની સાથે લોકો લઈને આવ્યા રોટલી!!


  • Published By :
  • Published Date : 2023-04-17 12:46:42

લોક ડાયરામાં કલાકારો ઉપર અનેક વખત નોટોનો વરસાદ થતો હોય છે તો કોઈ વખત ડોલરોનો વરસાદ થતો હોય છે. પરંતુ પાટણમાં કીર્તિદાન ગઢવી પર રોટલીનો વરસાદ કરવામાં આવ્યો છે. પાટણ શહેરમાં પ્રખ્યાત રોટલીયા હનુમાન દાદાનું મંદિર આવ્યું છે. એ મંદિરમાં માત્ર રોટલીનો પ્રસાદ જ ચઢે છે. ત્યારે થોડા સમય પહેલા હનુમાન દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે કીર્તિદાન ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં પૈસા ઉપરાંત લોકો રોટલી લઈને આવ્યા હતા. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા રોટલી ભેગી થઈ હતી. અને આ રોટલીથી અબોલા પશુઓનું પેટ ભરવામાં આવશે.  




હનુમાન દાદાને પ્રસાદી તરીકે ચઢે છે રોટલી! 

સમગ્ર રાજ્યમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે. પરંતુ પાટણમાં આવેલું રોટલિયા હનુમાન મંદિર સૌથી અલગ છે. દાદાને રોટલીનો પ્રસાદ અપર્ણ કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પહેલા દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. પ્રથમ પાટોત્સવ નિમીત્તે લોકગાયક કીર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરામાં ભાગ લેવા માટે લોકો ઘરેથી રોટલો અથવા રોટલી લઈને આવવાનું હતું. આમ લોકો રોટલી સાથે ડાયરો સાંભળવા આવ્યા હતા. કીર્તિદાન ગઢવી પાસે રોટલીઓના ઢગલા લોકોએ કરી દીધા હતા. 


'આ ડાયરામાં રુપિયાની સાથે રોટલીના ઢગલા લોકોએ કરી દીધા'  

ડાયરામાં ભેગા થયેલા રોટલા અબોલ પશુઓને ખવડાવવામાં આવશે. કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે પાટણ ખાતે આવેલા રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. જેનો ઉપયોગ જીવદયામાં કરવામાં આવે છે. મેં અનેક લોક ડાયરા કર્યા જેમાં રૂપિયાનો વરસાદ થાય છે પણ આ લોક ડાયરામાં રુપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગલા કરી દીધા હતા.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.