મહારાષ્ટ્રના ભિવંડીમાં બે માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, એક વ્યક્તિનું થયું મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-27 11:41:25

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે માળની ઈમારત ધરાશઈ થઈ છે. ઈમારત પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે વહેલી સવારે ખાદીપુર વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ઈમારતના ધરાશાઈના સમાચાર મળતા જ રાહત કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી.

  


ઈમારત પડી જવાને કારણે સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત ઈમારતો ધરાશાઈની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા પણ બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આવી જ એક દુર્ઘટના મહારાષ્ટ્રમાં બની છે. ભિવંડીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે. 


ઘટનામાં થયું એક વ્યક્તિનું મોત 

જ્યાં બિલ્ડીંગ પડી જવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે લોકો સૂઈ રહ્યા હતા. બિલ્ડીંગ કેટલી જૂની હતી તે અંગેની જાણકારી નથી.પોલીસે દુર્ઘટનાને કારણે મોત થયું હોવાની વાતને ધ્યાનમાં રાખી પોલીસે ગુન્હો નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.   




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.