Panchmahalમાં સર્જાઈ દુ:ખદ ઘટના, ખાડામાં ન્હાવા ગયેલા બાળકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-09-26 12:41:58

રમતા રમતા બાળકો એવી મસ્તી કરતા હોય છે જે તેમના પરિવારને ભારે પડી શકતી હોય છે. મસ્તીમાં મસ્તીમાં બાળકો દ્વારા કરવામાં આવતી વસ્તુઓ કોઈ વખત તેમના માટે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે ઘોઘંબામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. 



એક સાથે થયા ચાર બાળકોના મોત!

પોતાના દીકરાઓ દરેકને પોતાની જાન કરતા વ્હાલા હોય છે. બાળક ભવિષ્યનો સહારો બનશે તેવી દરેક માતા પિતાને આશા હોય છે. માતા-પિતાને મુખાગ્નિ સંતાનો આપે તેવી આશા માતા પિતાને હોય છે પરંતુ અનેક વખત એવું બનતું હોય કે પિતાએ પોતાના સંતાનને મુખાગ્નિ આપવી પડે છે. ત્યારે પંચમહાલમાં એક દુખદ દુર્ઘટના સર્જાઈ છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના બાળકોના મોત ખાડામાં ડૂબી જવાને કારણે થયા છે જેને કારણે પરિવારમાં આક્રાંદ વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે બાળકોના મોત થયા છે તેમના નામ છે - સંજય બારીયા જેની ઉંમર 10 વર્ષની હતી. 9 વર્ષનો પરસોત્તમ બારીયાનું નિધન થયું છે. તે ઉપરાંત 11 વર્ષના રાહુલ બારીયાનું મોત પણ તળાવામાં ડૂબી જતા થયું છે. 11 વર્ષીય અંકિત બારીયા પણ મોતને ભેટ્યો છે. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.