અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવાર સાથે સર્જાઈ દુર્ઘટના, કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-01-17 08:47:15

અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. કારમાં સવાર અમદાવાદનો ગોંડલિયા પરિવારને વડોદરાના વરણામા નજીક અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થતા કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે અન્ય બે લોકો અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉપરાંત વરણામા પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.  



ઘટના સ્થળે થયા ત્રણ લોકોના મોત 

અનેક લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. અકસ્માતોની સંખ્યા પણ વધી છે. નેશનલ હાઈવે પર વધારે અકસ્માતો નોંધાઈ રહ્યા છે. વડોદરા નજીક અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડયો છે. નેશનલ હાઈવે 48 પરના વરણામાં ગામ પાસે ગાડી અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત 

મળતી માહિતી અનુસાર પૂર ઝડપથી આવી રહેલા કન્ટેનરે ગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેને કારણે આ અકસ્માત થયો હતો. કન્ટેનર ગાડીની પાછળ ઘૂસી ગયું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.