કર્ણાટકમાં નિર્માણ પામેલા મેટ્રોનો થાંભલો પડી જતા સર્જાઈ દુર્ઘટના, બે લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-10 17:10:24

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત થયા છે. આઉટર રિંગ રોડ પર નિર્માણ પામતું મેટ્રોનો થાંભલો પડી ગયો છે. મેટ્રોનો થાંભલો પડી જવાથી એક મહિલા અને તેના બાળકનું મોત થયું છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારના 11 વાગ્યે બની હતી.

  

થાંભલો પડતા બે લોકો મોતને ભેટ્યા

બેંગલુરૂમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક દુર્ઘટના બની જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યાર અનુસાર આ ઘટના સવારે બની હતી. 


ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ 

સ્કૂટી પર અઢી વર્ષનું બાળક તેની માતા સાથે જઈ રહ્યો હતો તે સમયે નિર્માણ પામી રહેલી મેટ્રોનો થાંભલો તેમની પર પડી ગયો. થાંભલાની ઉંચાઈ 40 ફીટ હતી જ્યારે તેનું વજન પણ અનેક ટનનું હતું. ઉપરથી પડવાને કારણે બંને વ્યક્તિઓ તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.