પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત! અનેક જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:43:48

દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક રાજ્યોમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.  ગુરૂવારે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની વચ્ચે વીજળી પડવાની ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. આ અંગે એક અધિકારીના જણાવ્યા અનુસાર પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. 


વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત! 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કોઈ જગ્યાએ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે તો કોઈ જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે સાથે વીજળી પડવાને કારણે પશ્ચિમ બંગાળમાં દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મુખ્યત્વે ખેડૂતો હતા. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમના મોત થઈ ગયા હતા. 


મૃતકોમાં ખેડૂતોની સંખ્યા વધારે હતી!

આ મામલે આપદા પ્રબંધન અધિકારીએ જણાવ્યું કે વીજળી પડવાને કારણે પૂરબ બર્ધમાન જિલ્લામાં ચાર, મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગના જિલ્લામાં બે લોકોના મોત થયા છે. પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણ જિલ્લામાં 6 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મરનારમાં ખેડૂતો વધારે હતા. ખેતરમાં કામ કરતી વખતે આસમાની વીજળી વરસી અને તેમના મોત થઈ ગયા. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   


કમોસમી વરસાદને લઈ કરવામાં  આવેલી આગાહી!  

કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ સિક્કિમ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, રાજસ્થના અનેક વિસ્તારો, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ઓડિશા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં  આવી છે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!