ઉત્તરપ્રદેશમાં સર્જાઈ દુર્ઘટના, લખનઉમાં પાંચ માળની ઈમારત થઈ ધરાશાઈ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-25 12:47:07

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. વઝીર હસન રોજ પર આવેલી પાંચ માળની બિલ્ડીંગ તૂટી પડી હતી. આ ઘટનામાં અંદાજીત ત્રણ લોકોના મોત થયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ઉપરાંત અનેક લોકો આ બિલ્ડીંગની નીચે ફસાયા પણ હોઈ શકે છે તેવી આશંકા સેવાઈ રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.


નાયબ મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

મંગળવારની રાત્રે લખનઉમાં એક બિલ્ડીંગ ધરાશાઈ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ માળની બિલ્ડીંગ હોવાને કારણે અનેક લોકો આ બિલ્ડીંગ નીચે દબાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતુ. ઘટના સ્થળની મુલાકાત નાયબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી. 


તપાસ કમિટીની કરાશે રચના 

આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવશે જે સાત દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરશે. આ કમિટીની રચના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ  બાદ કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ધરાથાયી થતા આ બિલ્ડીંગ નીચે અનેક લોકો ફસાયા છે જ્યારે અંદાજીત ત્રણ લોકોના મોત થયા છે. અંદાજીત 16 લોકોનું રેસ્ક્યું કરી લેવામાં આવ્યું છે અને રેસ્ક્યુંનું કાર્ય ચાલી રહ્યું છે.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.