ઉત્તરપ્રદેશમાં સર્જાઈ દુર્ઘટના, લખનઉમાં પાંચ માળની ઈમારત થઈ ધરાશાઈ


  • Published By :
  • Published Date : 2023-01-25 12:47:07

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. વઝીર હસન રોજ પર આવેલી પાંચ માળની બિલ્ડીંગ તૂટી પડી હતી. આ ઘટનામાં અંદાજીત ત્રણ લોકોના મોત થયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ઉપરાંત અનેક લોકો આ બિલ્ડીંગની નીચે ફસાયા પણ હોઈ શકે છે તેવી આશંકા સેવાઈ રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.


નાયબ મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

મંગળવારની રાત્રે લખનઉમાં એક બિલ્ડીંગ ધરાશાઈ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ માળની બિલ્ડીંગ હોવાને કારણે અનેક લોકો આ બિલ્ડીંગ નીચે દબાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતુ. ઘટના સ્થળની મુલાકાત નાયબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી. 


તપાસ કમિટીની કરાશે રચના 

આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવશે જે સાત દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરશે. આ કમિટીની રચના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ  બાદ કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ધરાથાયી થતા આ બિલ્ડીંગ નીચે અનેક લોકો ફસાયા છે જ્યારે અંદાજીત ત્રણ લોકોના મોત થયા છે. અંદાજીત 16 લોકોનું રેસ્ક્યું કરી લેવામાં આવ્યું છે અને રેસ્ક્યુંનું કાર્ય ચાલી રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.