અમદાવાદની આ હોસ્પિટલમાં સર્જાઈ દુર્ઘટના! ઘટનામાં POPની 5 જેટલી શીટ થઈ ધરાશાયી, સદનસીબે ટળી જાનહાનિ


  • Published By :
  • Published Date : 2023-06-12 14:47:35

જ્યારે કોઈ માણસને ઈજા પહોંચે છે અથવા બિમાર પડે છે ત્યારે સારવાર માટે તે હોસ્પિટલમાં જતો હોય છે. પરંતુ જો કોઈ હોસ્પિટલમાં જ ઘાયલ થઈ જાય તો? આ એટલા માટે કહેવાઈ રહ્યું છે કે અમદાવાદની એસવીપી હોસ્પિટલના ડાયાલિસીસ વોર્ડની છતનું પીઓપી અચાનક પડી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયા હોવાની માહિતી સામે નથી આવી. પરંતુ હોસ્પિટલની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.  


ડાયાલિસિસ વોર્ડમાં બની દુર્ઘટના!

અમદાવાદ હમેંશા ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત બિસ્માર રસ્તાને કારણે તો કોઈ વખત ભૂવાને કારણે સ્માર્ટ સિટી અમદાવાદ હમેશાં ચર્ચાતું રહે છે. ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલની છત પડી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડાયાલિસિસ વોર્ડમાં છતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બારમા માળે આવેલા વોર્ડની સિલીંગના પીઓપી સહિતનો પોર્શન નીચે પડી ગયું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો? 

હાલ દરેક જગ્યાઓ પર વાવાઝોડાના ન્યુઝ જોવા મળી રહ્યા છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે કેવું નુકસાન થશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. અમદાવાદમાંથી નુકસાની ના દ્રશ્યો સામે આવ્યા છે. તમને લાગ્યું હશે કે આ નુકસાની વાવાઝોડાને કારણે સર્જાયા હશે. પરંતુ ન તો વાવાઝોડાની અસર ન તો ભૂકંપની અસર છે. પરંતુ આ અસર છે નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચારની. અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12માં માળમાં પીઓપી અચાનક ધરાશાયી થઈ ગયો છે. ડાયાલિસિસ વોર્ડમાં અચાનક સિલિંગ તૂટી પડી હતી.


થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં બની હતી ઘટના! 

મહત્વનું છે હોસ્પિટલની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? મહત્વનું છે કે નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પણ હોસ્પિટલના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતો માલસામાન હલકી ગુણવત્તાનો હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રીક સપ્લાઈઝને લગતા એક્ટિવ રૂમમાં ભડકો થયો હતો.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.