અમદાવાદના મણિનગરમાં સર્જાઈ દુર્ઘટના, બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થતાં ફસાયા લોકો, ફાયર વિભાગે કર્યું લોકોનું રેસ્ક્યુ


  • Published By :
  • Published Date : 2023-06-29 11:09:45

અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદને કારણે અનેક બિલ્ડીંગો તેમજ દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જર્જરિત ઈમારતો વરસાદ આવવાને કારણે તૂટી પડતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનરમાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે મકાનોની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો છે. ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલા સવારે પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ઘરમાં હાજર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

A balcony of a building collapsed in Maninagar , Ahmedabad અમદાવાદના મણિનગરમાં ઇમારતની બાલ્કની ધરાશાયી, 30 લોકોનું રેસ્ક્યુ કરાયુ


ગેલેરીનો ભાગ તૂટી પડતાં ઘરની અંદર ફસાયા લોકો

વરસાદની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પરથી વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો કોઈ જગ્યાએથી બિલ્ડિંગનો સ્લેબ તૂટી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં પણ દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાર્ટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ પહેલા થોડો પડ્યો જેની પર લોકોએ ધ્યાન  આપ્યું ન હતું,  તે બાદ આખી ગેલેરીનો પોર્શન તૂટી પડ્યો હતો. જેને લઈ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બીજા અને ત્રીજા માળે રહેતા લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. પાછળના ભાગેથી બારીમાંથી લોકોનું રેસ્ક્યુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં હજી સુધી જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આ ઘટના વહેલી સવારે બની હતી.   

    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!