યમનની રાજધાનીમાં આયોજીત એક ચેરિટી કાર્યક્રમ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, નાસભાગ થવાને કારણે થયા 80 જેટલા લોકોના મોત! જાણો કેમ સર્જાઈ નાસભાગ


  • Published By :
  • Published Date : 2023-04-20 09:14:03

યમનની રાજધાની સનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે યમનની રાજધાની સનામાં રમઝાન મહિના માટે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં નાસભાગ થઈ હતી જેમાં 80 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 300થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમાંથી 13 જેટલા લોકોની હાલત નાજુક છે.    

stampede-in-yemen-over-80-killed-during-financial-aid-distribution-program-during-ramadan-118874


સ્થાનિક વહીવટીતંત્રની સહાય વિના આ કાર્યક્રમનું કરાયું હતું આયોજન!

રમઝાન મહિનાના છેલ્લા દિવસે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવતું હોય છે. બુધવારે મોડી રાત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્થિક સહાયના વિતરણ દરમિયાન નાસભાગ મચી હતી જેને કારણે 85 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 330થી વધારે લોકો ઘાયલ થયા છે. આ મામલે હૂતિ સેનાના ગૃહમંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ સાથે સંકલન વિના અયોગ્ય રીતે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.     


લોકો ગભરાઈને આમ તેમ નાસવા લાગ્યા! 

આ ભીડને કાબુમાં લેવા હવામાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે પાવર લાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર લોકો ડરી ગયા હતા અને આમ-તેમ ભાગવા લાગ્યા હતા. નાસભાગ થવાને કારણે લોકો એકબીજાને અથડાતા ગયા અને એકબીજાને કચડતા ગયા. જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. 




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.