યમનની રાજધાનીમાં આયોજીત એક ચેરિટી કાર્યક્રમ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, નાસભાગ થવાને કારણે થયા 80 જેટલા લોકોના મોત! જાણો કેમ સર્જાઈ નાસભાગ


  • Published By :
  • Published Date : 2023-04-20 09:14:03

યમનની રાજધાની સનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે યમનની રાજધાની સનામાં રમઝાન મહિના માટે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં નાસભાગ થઈ હતી જેમાં 80 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 300થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમાંથી 13 જેટલા લોકોની હાલત નાજુક છે.    

stampede-in-yemen-over-80-killed-during-financial-aid-distribution-program-during-ramadan-118874


સ્થાનિક વહીવટીતંત્રની સહાય વિના આ કાર્યક્રમનું કરાયું હતું આયોજન!

રમઝાન મહિનાના છેલ્લા દિવસે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવતું હોય છે. બુધવારે મોડી રાત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્થિક સહાયના વિતરણ દરમિયાન નાસભાગ મચી હતી જેને કારણે 85 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 330થી વધારે લોકો ઘાયલ થયા છે. આ મામલે હૂતિ સેનાના ગૃહમંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ સાથે સંકલન વિના અયોગ્ય રીતે નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.     


લોકો ગભરાઈને આમ તેમ નાસવા લાગ્યા! 

આ ભીડને કાબુમાં લેવા હવામાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે પાવર લાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર લોકો ડરી ગયા હતા અને આમ-તેમ ભાગવા લાગ્યા હતા. નાસભાગ થવાને કારણે લોકો એકબીજાને અથડાતા ગયા અને એકબીજાને કચડતા ગયા. જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે