રાજકોટમાં સર્જાઈ હોત મોરબી જેવી દુર્ઘટના? રૈયાચોકડી ઓવરબ્રિજમાં પડી તિરાડ, તાત્કાલિક કરાયું રિપેરિંગ કામ


  • Published By :
  • Published Date : 2023-03-04 14:00:06

બ્રિજના બાંધકામ દરમિયાન વાપરવામાં આવતા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે રાજુલાનો નિર્માણ પામી રહેલો બ્રિજ હોય બધી જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેરના રૈયાચોકડી પાસે આવેલા બ્રિજમાં તિરાડ પડેલી દેખાઈ હતી.જે બાદ તંત્ર દોડતું થયું અને બ્રિજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોઈ દુર્ઘટના ન બને તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. 


ઓવરબ્રિજ પર તિરાડ દેખાતા તંત્ર દોડતું થયું

દિવાળી સમયે મોરબીમાં હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાંધકામ દરમિયાન માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક બ્રિજોની ચર્ચા આજકાલ થઈ રહી છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હાલ ચર્ચામાં છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલો બ્રિજ પણ તેની ગુણવત્તાને લઈ ચર્ચામાં છે. શહેરના રૈયાચોકડી ઓવરબ્રિજમાં તિરાડ પડી હતી. ઓવરબ્રિજ પર તિરાડ દેખાતા તંત્ર દોડતું થયું હતું. તિરાડને પૂરવાની કામગીરી એન્જિનિયરો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

 

તાત્કાલિક કરાયું બ્રિજનું રિપેરિંગ 

તિરાડ પડવાને કારણે કોઈ નુકસાન થયાની જાણકારી મળી નથી. જે ભાગમાં તિરાડ પડી હતી તેનું સમારકામ કરવામાં આવ્યું છે. તાત્કાલિક રિપેરિંગ કરવામાં તો આવ્યું છે પણ તે કેટલા સમય સુધી ટકશે તે એક પ્રશ્ન છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. થોડા સમય પેહલા બનેલા બ્રિજમાં તિરાડ પડતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો લોકો કરી રહ્યા છે. લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવી રહ્યો છે કે શું તંત્ર દ્વારા બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે?   

  

નિર્માણધીન બ્રિજ થયો હતો ધરાશાયી        

થોડા દિવસ પહેલા રાજુલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. નિર્માણધીન બ્રિજ ધરાશાયી થતા બ્રિજના નિર્માણમાં વપરાતા માલ સામાનની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે મોરબી હોનારત સર્જાઈ તે બાદ અનેક બ્રિજની સ્થિતિ અંગે રિપોર્ટ મંગાવામાં આવ્યો હતો. માહિતી મુજબ રાજ્યમાં 63 જેટલા એવા બ્રિજ છે જેને સમારકામની જરૂર છે. 63 પૈકી 40 જેટલા બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે જ્યારે 23 બ્રિજને મહત્તમ સમારકામની જરૂર છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!