ભાઈ!!! પીળું એટલે સોનું નહીં... સાચવજો બાકી ગયા સમજો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 13:17:13

સુરતમાં ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારી સાથે છેતરપિંડી કરનાર ગેંગની રાંદેર પોલીસે ધરપકડ કરી. પોલીસે એક મહિલા સહિત ત્રણ ઠગોની ધરપકડ કરી. 


શું હતો સમગ્ર મામલો? 

આ ગેંગ ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારીને ઠગ્યો હતો. ઠગ ગેંગે એક દુકાનદારને સાચો સિક્કો આપી વિશ્વાસમાં લઈ 30 લાખના 426 નંગ ખોટા સિક્કા 9 લાખમાં પધરાવી દીધા હતા. દુકાનદારોને ઉલ્લુ બની જવાની ભાન થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. રાંદેર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી એક મહિલા સહિત ત્રણ ઠગની ધરપકડ કરી લીધી હતી. ઠગ ગેંગે અગાઉ વેપારીને સાચો સોનાનો સિક્કો ઓછા પૈસે આપી લલચાવ્યો હતો. વેપારી લલચાયા બાદ મોટી રકમની માગણી કરી વેપારીને ખોટા સિક્કા ધરબાવી દીધા હતા. ઠગ ગેંગે વેપારીને જણાવ્યું હતું કે આ સિક્કા મુઘલ સમયના સિક્કા છે અને બહું કિંમતી છે. વેપારી લલચાઈ જતા ઠગ ગેંગે વેપારી પાસેથી 9 લાખ પડાવી લીધા હતા. 


अपि मेरुसमं प्राज्ञमपि शुरमपि स्थिरम्। तृणीकरोति तृष्णैका निमेषेण नरोत्तमम्।। અર્થાત જો કોઈ વ્યક્તિ મેરુ પર્વત જેવો સ્થિર, ચતુર, બહાદુર મનનો ભલે હોય, પણ લોભ તેને ક્ષણભરમાં ઘાસની જેમ નષ્ટ કરી શકે છે. લોભ લાલચના કારણે ક્યારેક નાની બાબતમાં પણ આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.