Pakistanમાં ચૂંટણી પહેલા થયો આતંકી હુમલો! હુમલામાં આટલા પોલીસકર્મીના ગયા જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 16:32:35

પાકિસ્તાનમાં આતંકવાહી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે તેની પહેલા પાકિસ્તાનમાં આતંકી હુમલો થયો છે. ચૂંટણી પહેલા આતંકી ગતિવિધીઓ વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે. આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે. આ હુમલો 5 ફેબ્રુઆરીએ વહેલી સવારે થયો હતો. 30થી વધારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને ઘેર્યા અને અંદાજીત એકથી દોઢ કલાક સુધી ફાયરિંગ ચાલી.



10 જેટલા પોલીસકર્મીઓ આ હુમલામાં મોતને ભેટ્યા!

8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી 8 તારીખે યોજાવાની છે તે પહેલા પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદી દ્વારા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓએ બતાવ્યું કે આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર્સનો ઉપયોગ કરીને કોન્સ્ટેબલોને નિશાન બનાવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. ત્યાં તેઓએ પોલીસકર્મીઓ પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો.  


બલુચિસ્તાનમાં થયો હતો બોમ્બ ધડાકો

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસ પહેલા બલુચિસ્તાનમાં પણ હુમલો થયો હતો. 24 કલાકની અંદર 10 જેટલા બોમ ધડાકા થયા હતા અને તે હુમલામાં પોલીસ સ્ટેશનને તેમજ પોલીસ કમીશ્નર ઓફિસને નિશાન બનાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પાકિસ્તાનમાં પણ આતંકી હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે.    




પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .