Assamમાં થયો ભીષણ Road Accident, બસ અને ટ્રક વચ્ચે થઈ ટક્કર, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-03 13:46:09

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માત એવા ભયંકર હોય છે કે એક બે નહીં પરંતુ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. અનેક યાત્રા અંતિમ યાત્રા સુધી લઈ જતી સાબિત થાય છે. અકસ્માતમાં અનેક પરિવારના માળા વિખેરાય છે. ત્યારે આસામમાં એટલો ભયંકર રોડ અકસ્માત થયો કે દુર્ઘટનામાં 14 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં ત્રણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત 3જી જાન્યુઆરીએ સવારે સર્જાયો જેમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. ઘટના સ્થળ પર જ 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.   

14 જેટલા લોકોના થયા ઘટનાસ્થળ પર મોત  

કોણ ક્યારે દુનિયામાંથી ચીર વિદાય લઈ લેશે તેની જાણ નથી. મરણ થવાનું નક્કી છે પરંતુ કેવી રીતે થશે તેની ખબર નથી. કોઈ અકસ્માતમાં મોત પામે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મોત પામે છે. કોઈ લાંબી બિમારીને કારણે તો કોઈ ટૂંકી સારવાર બાદ મૃત્યુને ભેટે છે. જો કોઈ પેસેન્જર ભરેલી બસનો અકસ્માત થાય તો મૃત્યુઆંક સામાન્ય રીતે વધી જતો હોય છે. ત્યારે આસામના ગોલાઘાટથી દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જે બસને અકસ્માત નડ્યો છે તેમાં 45 લોકો સવાર હતા અને આ અકસ્માતમાં 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ આવી પહોંચ્યો અને તપાસ શરૂ કરી 

આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનોના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. જે બસને અકસ્માત નડ્યો છે તે આઠખેલિયાથી પિકનીક મનાવા માટે બોગીબિલ જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર તિનસુકિયા મંદિર જવાના હતા. આ ઘટના સવારે 5 વાગે બની હતી. આ ઘટનાને પગલે પોલીસકાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મૃતકોના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.