UttarPradeshમાં સર્જાયો ભીષણ રોડ અકસ્માત, ટ્રક અને ગાડીની ટક્કર થઈ અને થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-11-14 13:58:43

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પણ એક ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. નેશનલ હાઈવે નંબર 58 પર આ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રકની ટક્કર થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી થઈ રહી છે.

मुजफ्फरनगर में भीषण सड़क हादसा, कार ट्रक के नीचे घुसी, दिल्ली के 6 लोगों की मौत

ઘટનાસ્થળ પર થયા 6 લોકોના મોત 

ઉત્તરપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. મુઝફ્ફરનગરમાં નેશનલ હાઈવે 58 પર એક રોડ અકસ્માત થયો છે જેમાં ફૂલ સ્પીડમાં આવેલી ગાડી ટ્રક સાથે અથડાઈ. 6 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર દિલ્હી દેહરાદૂન હાઈવે પર છાપર પાસે આ અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં 6 મિત્રોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે. 


અકસ્માત સર્જાતા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી ગાડી!

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મંગળવાર વહેલી સવારે લગભગગ ચાર વાગે કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક આગળ જઈ રહી હતી અને પાછળથી ગાડી આવી અને ટ્રક સાથે અથડાઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એવી પણ માહિતી સામે આવી છે કે ગાડી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. આ અકસ્માત ઓવરસ્પીડિંગને કારણે સર્જાયો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો દિલ્હીના રહેવાસી હતા અને એક બીજાના મિત્રો હતા. મહત્વનું છે કે તહેવારનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે.       



દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે

CBSE ગવર્નિંગ બોર્ડ બેઠકમાં ડમી શાળાઓ માટે નવા કડક નિયમો બનવામાં આવ્યા છે. જેમાં બોર્ડે નોંધ્યું છે કે જે વિધાર્થીઓ મેડીકલ કે એન્જિનિયરિંગ માટેની કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારીઓ માટે કરીને ડમી શાળાઓમાં એડમીશનની લે છે. બોર્ડે કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને ડમી ને બદલે ઓપેન સ્કૂલનો પર્યાય અપનાવવાની સલાહ.

ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.